માતા કુંતીની ભુલની સજા આજે પણ ભોગવી રહી છે બધી સ્ત્રીઓ, યુધિષ્ઠિરે આપ્યો હતો શ્રાપ

Posted by

સ્ત્રીઓને લઈને કહેવામાં આવે છે કે કોઇપણ વાત તે લાંબો સમય સુધી છુપાવીને રાખી શકતી નથી અને કોઈને કોઈ વ્યક્તિને તે બધી જ વાતો જણાવી દે છે. હંમેશા લોકો સ્ત્રીઓને એટલા માટે જ પોતાના રહસ્યો જણાવતા નથી કારણ કે તે રહસ્ય છુપાવી શકતી નથી અને કોઇને કોઇ વ્યક્તિને સામે તે વાતને જણાવી દે છે. તેને સ્ત્રીઓની પ્રવૃત્તિ માનવામાં આવે છે કે તેમના પેટમાં કોઈ વાત ટકતી નથી. જો કે મહિલાઓની આ પ્રવૃત્તિનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલો છે. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાની માતા કુંતીને એક એવો શ્રાપ આપ્યો હતો જેનો દંડ આજ સુધી મહિલાઓ ભોગવી રહી છે.

સૂર્ય અને કુંતીના પુત્ર હતા કર્ણ

મહાભારતની કથા વાંચવા વાળા અને જોવા વાળા જાણતા હશે કે કુંતી અને કર્ણમાં માતા-પુત્રનો સંબંધ હતો. એક વખતની વાત છે, માતા કુંતીએ ઋષિ દુર્વાસાનો ખૂબ જ આદર સત્કાર કર્યો હતો. તેમની સેવાથી પ્રસન્ન થઈને ઋષિએ તેમને એક મંત્ર આપ્યો. તેઓએ કહ્યું કે આ મંત્રને વાંચીને તમે જે પણ દેવતાનું સ્મરણ કરશો, તેનાથી તમને સંતાન પ્રાપ્તિ થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે. કુંતી એક રાજકુમારી હતી, તેને આ વાત પર વિશ્વાસ થયો નહી કે આ મંત્ર આટલો કારગર બની શકે છે.

તેવામાં કુંતીએ સૂર્યદેવને સ્મરણ કરીને મંત્ર વાંચ્યો. મંત્ર વાંચતા ની સાથે જ સૂર્યદેવે કુંતીના ખોળામાં એક બાળક રાખી દીધું. કુંતી ગભરાઈ ગઈ, કારણ કે તેમનાં લગ્ન થયાં ન હતાં અને તેવામાં વિવાહ વગર પુત્ર રાખવો સમાજમાં તેમના માટે ખૂબ જ ઘૃણાની વાત બની શકે તેમ હતું. કવચ અને કુંડળ પહેરેલા સૂર્યનાં તેજ સમાન આ બાળકને કુંતીએ એક ટોપલામાં રાખીને ગંગામાં વહાવી દીધો.

જ્યારે કર્ણને ખબર પડી કે કુંતી તેમની માતા છે

ત્યારબાદ કુંતીના લગ્ન પાંડુ સાથે થયા અને પછી તેમણે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને જન્મ આપ્યો. વળી પાંડુ અને માદ્રી થી નકુલ તથા સહદેવેનો જન્મ થયો. કુંતી માતાએ જ્યારે પહેલી વખત કર્ણને જોયો હતો તે સમજી ગયા હતા કે તેમનો જ પુત્ર છે. તે બધા લોકોની સમક્ષ કંઈ કહી પણ શકતા ન હતા. તેનું પાલન-પોષણ સુત દ્વારા થયેલ હોવાને કારણે તેને ક્યારેય માન-સન્માન અને શિક્ષા મળી નહીં, જે બાકી પાંડવોને મળી હતી.

જ્યારે મહાભારતનું યુદ્ધ આરંભ થયું, ત્યારે માતા કુંતીએ કર્ણને કહ્યું કે તે તેમનો જ પુત્ર છે. માતાની વાત સાંભળીને કર્ણ તે સમયે અસમંજસમાં પડી ગયા હતા. તેમણે માતા કુંતીને વચન આપ્યું હતું કે તેઓ અર્જુનને બાદ કરીને કોઇપણ પાંડવોનો વધ કરશે નહીં. ત્યારબાદ કર્ણએ પોતાના વજન અનુસાર એ યુદ્ધમાં ફક્ત અર્જુન સાથે યુદ્ધ કર્યું અને તેમના હાથે વીરગતિ પ્રાપ્ત થઈ.

આ કારણે માતા કુંતીને યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો

યુદ્ધ સમાપ્ત થયા બાદ પાંડવ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને માતા કુંતીને મળવા પહોંચ્યા. ત્યારબાદ ધૃતરાષ્ટ્રનાં કહેવા પર પાંડવોએ યુદ્ધમાં મૃત્યુ પામેલ પોતાના પરિવારજનોના શ્રાદ્ધ અને તર્પણનું કાર્ય કર્યું. માતા કુંતી થી રહેવાયું નહીં અને તેમણે પાંડવોની સામે પોતાનું વર્ષો જૂનું રહસ્ય ખોલી દીધું. તેમણે જણાવ્યું કે કર્ણ તમારો જ ભાઈ છે અને તેનો અંતિમ સંસ્કાર પણ તમારે જ કરવો જોઈએ.

જ્યારે પાંડવોને આ વાતની જાણ થઈ તો તેઓ હેરાન થઈ ગયા. યુધિષ્ઠિરને તે જાણીને આંચકો લાગ્યો કે તે પોતાના મોટા ભાઈને પણ ઓળખી શક્યો નહીં. ક્રોધિત થયેલા યુધિષ્ઠિરે માતા કુંતીને આટલા વર્ષો સુધી આ રહસ્ય છુપાવી રાખવા માટે શ્રાપ આપી દીધો. યુધિષ્ઠિરે કહ્યું કે, “હે માં ! આજે તમારા આ રહસ્યને કારણે આપણે આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું છે. હવે પછી સમસ્ત નારી જાતિને મારો સાથ છે કે તેમના મનમાં કોઈ પણ વાત વધારે સમય સુધી રહસ્ય ના રૂપમાં રહી શકશે નહીં. જો તે કોઈ રહસ્ય રાખવા માંગશે તો પણ રાખી શકશે નહીં.” યુધિષ્ઠિરના આ શ્રાપને કારણે મહિલાઓ રહસ્ય છુપાવી શકતી નથી અને તેમના પેટમાં વધારે સમય સુધી કોઈ વાત ટકી શકતી નથી.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *