મુંબઈમાં બનાવવામાં આવેલ આ માસ્ક કોરોના વાઇરસને ખતમ કરી નાંખશે, ભારતીય અને એમરિકાની લેબ દ્વારા મળી લીલી ઝંડી

અત્યાર સુધી તમે કોરોના સાથે જોડાયેલ સમાચારમાં ફક્ત તેની વેક્સિનના ડેવલોપમેન્ટ વિશે વાંચ્યું હશે. પરંતુ અચાનક થી એવી ખુશખબરી સામે આવી રહી છે જેની તમને આશા પણ નહીં હોય. હકીકતમાં મુંબઈ સ્થિત એક સ્ટાર્ટઅપ દ્વારા એવું માસ્ક તૈયાર કરવામાં આવ્યું છે, જે કોરોના વાયરસને મોઢા અને નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરવાથી રોકે છે અને સાથો સાથ આ વાયરસનો ખાત્મો પણ કરી નાખે છે.

મુંબઈમાં બન્યું કોરોના કિલર માસ્ક

મુંબઈ સ્થિત સ્ટાર્ટ-અપ દ્વારા નેનોટેકનોલોજીનો ઉપયોગ કરીને કોરોના વાયરસ કીલર તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના ઉપયોગ બાદ માસ્ક પર લાગેલ કોરોના વાયરસનાં ડ્રોપલેટ્સ થી સંક્રમણ ફેલાવવાનો ખતરો સંપૂર્ણ રીતે ખતમ થઇ જાય છે. સાથોસાથ આ માસ્કને તેની વોશિંગનાં આધાર પર ૬૦ થી લઇને ૧૫૦ વખત ઉપયોગ કરી શકાય છે.

સંક્રમિત કરી શકે છે માસ્ક પર લાગેલ વાયરસ

સાથોસાથ તમને એવું પણ જણાવી દઈએ કે માસ્ક ઉતારવા માટે યોગ્ય રીત હોવી જોઈએ. વળી માસ્કને ધોઈને ઉપયોગ કરવું જોઈએ કે નહીં, એવા ઘણા સવાલ મનમાં થતા હોય છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે તમારી આસપાસ કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હાજર હોય તો તેના શ્વાસ દ્વારા આ વાયરસ ડ્રોપલેટ્સનાં રૂપમાં હવામાન આવી જતો હોય છે અને પછી શ્વાસ અથવા મોઢા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરતા હોય છે.

બહારના સ્તર પર ચીપકી જાય છે કોરોના

આ સ્થિતિથી બચવા માટે જો તમે માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો, તો વાયરસ માસ્કની બહારની સપાટી પર ચીપકી જાય છે, જે આગલા અમુક કલાકો સુધી જીવંત રહી શકે છે. જો માસ્ક ઉતરતા સમયે તમે જરા પણ ભૂલ કરો છો તો આ વાયરસ તમને સંક્રમિત કરી શકે છે. સાથોસાથ માસ્ક ઉતારી લીધા બાદ આપણે પોતાના હાથ ધોવા પણ ખૂબ જ જરૂરી બની જાય છે, નહીં તો માસ્ક હટાવતા સમયે આ વાયરસ તમારા હાથ પર આવી જાય છે અને પછી હાથ, મોઢા અથવા નાક પર લાગવાથી શરીરની અંદર પ્રવેશ કરી શકે છે.

આ માસ્કને મળી ગઈ છે મંજૂરી

હવે મુંબઈના સ્ટાર્ટ અપ થરમૈસેંસ દ્વારા આ માસ્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે માસ્ક વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માસ્ક ફક્ત કોરોના વાયરસને શરીરમાં પ્રવેશતા અટકાવતું નથી, પરંતુ માસ્કની બહારની સપાટી પર ચીપકી રહેલ વાયરસને સંપૂર્ણ રીતે મારવાનું પણ કામ કરેલ છે. આ માસ્ક પ્રત્યે વિશ્વસનીયતા એટલા માટે વધી ગઈ કારણ કે તેને ભારતીય લેબ સહિત અમેરિકન લેબ તરફથી પણ એપ્રુવલ આપી દેવામાં આવેલ છે. એટલે કે આ માસ્કને તૈયાર કરવા વાળા એક્સપર્ટ તરફથી જે દાવો કરવામાં આવી રહ્યો હતો, આ માસ્ક તે બધા દાવા પર ખરું ઉતર્યું છે.

ક્યાંથી મળી મંજૂરી

મુંબઈ સ્થિત સ્ટાર્ટ અપ થરમૈસેંસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ માસ્કને International Organization for Standardization પ્રમાણિત અમેરિકી પ્રયોગશાળા અને ભારતમાં પરીક્ષણ અને અંશાકન પ્રયોગશાળાઓ માટે રાષ્ટ્રીય પ્રત્યાયન બોર્ડ (National Accreditation Board for Testing and Calibration Laboratories(NABL) તરફથી માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા દ્વારા આ માસ્કનાં ઉત્પાદન અને ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવેલ છે.

કેવી રીતે બનાવવામાં આવેલ છે આ પ્રભાવશાળી માસ્ક?

હવે તમે એ જરૂર જાણવા માંગશો કે આખરે આ માસ્કમાં એવી કઈ વિશેષતા છે કે તેના પર રહેલ કોરોના વાયરસ મરી જાય છે. તો આ માસ્ક બનાવનાર એક્સપર્ટનું કહેવું છે કે આ માણસ જે કપડા માંથી બનાવવામાં આવેલ છે તેમાં નેનોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ માસ્કને પહેરવાથી ફક્ત કોરોના વાયરસ જ નહીં, પરંતુ બધા પ્રકારના અન્ય વાઇરસ અને બેક્ટેરિયા પણ ખતમ થઈ જશે. અમેરિકી લેબ અનુસાર મુંબઈમાં બનાવવામાં આવેલા માસ્ક ૫ મિનીટમાં અંદાજે ૯૩ ટકા કોરોના વાયરસને મારી નાખે છે. વળી ૧ કલાકની અંદર તે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસનો ખાત્મો કરી નાખે છે. એટલે કે લગભગ ૧૦૦ ટકા કોરોના વાયરસ કિલર છે.

કેટલી વખત ઉપયોગ કરી શકાય છે આ માસ્ક?

જાણકારી અનુસાર જ્યારે આ માસ્ક તૈયાર થઈને માર્કેટમાં આવશે તો તેની કિંમત ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની વચ્ચે હશે. આ એક માસ્કનો કેટલી વખત ઉપયોગ કરી શકાશે તે વાત એ બાબત પર નિર્ભર રહેશે કે ઉપયોગ કરનાર વ્યક્તિ તેની ધોલાઈ માટે ક્યાં માધ્યમનો ઉપયોગ કરી રહેલ છે.

માસ્ક બનાવનાર ટીમના જણાવ્યા અનુસાર આ માસ્કને તૈયાર કરવા માટે જે કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં જો તમે તેને હાથથી ધોઈને ઉપયોગ કરો છો તો આ માસ્ક ૧૫૦ વખત ધોઈને ઉપયોગમાં લઇ શકાય છે. વળી મશીનથી તમે તેને ૧૦૦ થી વધારે વખત ધોઈ શકો છો અને જો તમે તેને કેમિકલ વોશ, બ્લીચ અથવા ડ્રાય ક્લીન જેવી પ્રોસેસ થી સાફ કરી રહ્યા છો, તો તેને ૬૦થી વધારે વખત વોશ કરી શકો છો.