પરણિત નાના પાટેકરને અનહદ પ્રેમ કરતી હતી મનીષા કોઈરાલા, આ કારણને લીધે થયું બ્રેકઅપ

૮૦ અને ૯૦ ના દશકની ખૂબસુરત એક્ટ્રેસમાં એક મનીષા કોઈરાલા આ વર્ષે ઓગસ્ટના મહિનામાં ૫૦ વર્ષની થઇ જશે. ત્યાં જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં તેમના ૨૯ વર્ષ પૂરા થઈ જશે. તમને યાદ આપવી દઈએ કે મનીષા કોઈરાલાને ૨ વર્ષ પહેલાં ઘાતક બિમારી કેન્સર સામે જંગ લડી રહી હતી અને તેણે તે લડાઈ જીતી હતી. કેન્સરના જંગ જીત્યા પછી તેમણે પોતાની જિંદગીમાં ફરી શરૂઆત કરી છે. મનીષા કોઈરાલાએ ૧૯૯૧માં સોદાગર ફિલ્મથી બોલિવુડ માં પગ રાખ્યો. હતો.

મનીષા પોતાના સમયની ખૂબ જ સારી એક્ટ્રેસ હતી, તેથી જ તેની નાનામાં નાની ખબર પણ મીડિયામાં ખૂબ જ ઝડપથી ફેલાતી હતી. તેમના અફેરની ચર્ચા પણ ખૂબ જ સાંભળવામાં આવી રહી હતી. પરંતુ મનીષા કોઈરાલાનું એક અફેર કે જેના વિશે ખૂબ જ ચર્ચા થાય છે. આજે તેના વિશે તમને જણાવીશું.

નાના પાટેકર સાથે થઈ ગયો હતો પ્રેમ

મનીષાનું નામ નાના પાટેકરની સાથે જોડાયેલું હતું. નાના પાટેકર અને મનીષા કોઈરાલા ની લવ સ્ટોરી ૧૯૯૬ની વાત છે. જ્યારે બંને એકસાથે ફિલ્મ અગ્નિ માં કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એક બીજાની તરફ આકર્ષિત થવા લાગ્યા હતા. કારણકે મનીષા અને નાના ને ફિલ્મના શૂટિંગ દરમિયાન એક બીજાનો સાથ ખૂબ જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

સંયોગ થી બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ખામોશી માં પણ એકસાથે કામ કરવાનું હતું. તેથી ફિલ્મમાં કામ કરતા સમયે બંને એકબીજાની વધુ નજીક આવી ગયા. તેવામાં હંમેશા બંને એક સાથે જોવા મળી રહ્યા હતા. ફક્ત એટલુ જ નહીં પરંતુ તે સમયે મનીષાના પડોશીઓએ આ વાતને કન્ફોર્મ કરી હતી. તેમણે ઘણી વખત સવારે નાના પાટેકરને મનીષાના ઘરે આવતા જોયા હતા.

મનીષા અને નાના પાટેકરનો સંબંધ કેવી રીતે પૂર્ણ થયો?

મનીષા કોઈરાલા માટે તે અફેર ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું, કારણ કે નાના પાટેકરનાં તે સમયે લગ્ન થઈ ચુક્યા હતા. મનીષા આ વાત જાણતી હતી કે તે નાના પાટેકરની પત્ની ની જગ્યા ક્યારેય નહીં લઈ શકે. આ વાત જાણતી હોવા છતાં પણ એક્ટ્રેસ નાના ની સાથે જોડાઈ રહી. આ લવ સ્ટોરીના અંતનું કારણ તે સમયની એક બીજી સુપરસ્ટાર એક્ટ્રેસ આયશા જુલકા બની.

પરંતુ માનવામાં આવે છે કે આયેશાની એન્ટ્રીથી પહેલા નાના અને મનીષાના સંબંધોમાં તિરાડ પાડવાની શરૂ થઈ ગઈ હતી. નાના પાટેકર લગ્ન કરેલા હતા તે છતાં પણ તે મનીષા કોઈરાલાની સાથે ખૂબ જ પજેસિવ થઈ રહ્યા હતા. તેમને લઈને રોકટોક અને કપડા માટે પણ બોલવા લાગ્યા હતા, જેનાથી મનીષા કોઈરાલા પરેશાન થવા લાગી હતી.

આ બધા કારણના લીધે બંને એકબીજાના સાથે હતા, પરંતુ સંબંધ પૂર્ણ થઈ ગયો હતો, જ્યારે મનીષાએ એક દિવસ નાના પાટેકરની આયશા જુલકાની સાથે એક રૂમમાં જોઈ ગઈ હતી. બતાવવામાં આવે છે કે નાના અને આયેશાને એક સાથે જોઈને મનીષા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. ત્યારબાદ મનીષા કોઈરાલા નાના પાટેકરની સાથે સંબંધ પૂર્ણ કરી લીધો હતો.

૨૦૧૦માં નેપાળી બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા

૧૯ જૂન ૨૦૧૦માં મનીષા કોઈરાલાએ નેપાલી બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કરી લીધા. તમારી જાણકારી માટે જણાવી દઈએ તો મનીષા પણ નેપાલ થી જ છે. તે જ કારણના લીધે તેને પણ પોતાનો જીવનસાથી એક નેપાલી બિઝનેસમેન પસંદ કર્યો. બંનેના લગ્ન કાઠમાંડુમાં થયા. બંનેની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી. ૨૦૧૦માં લગ્ન થયા અને તેના ૨ વર્ષ પછી ૨૦૧૨માં મનીષા એ પોતાના પતિ સાથે ડિવોર્સ લઈ લીધા.

ત્યારબાદ મનીષા અમુક ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ તેમનો કરીઅર પહેલાની જેમ ના ચમક્યું. અમુક વર્ષો પછી તેમને કેન્સર થઈ ગયું, જેના ઇલાજમાં તેમને અનેક વર્ષો લાગી ગયા. અત્યારે કેન્સર થી મુક્ત થયા પછી મનીષા એક વખત ફરી પોતાના કેરિયર પર ધ્યાન આપી રહી છે અને પોતાની નવી જિંદગીની સકારાત્મક રીતે જીવી રહી છે.