એ કહેવત તો લગભગ બધાએ સાંભળી હશે કે “યે ઈશ્ક નહીં આસન, બસ ઇતના સમજ લીજે, એક આગ કા દરિયા હૈ ઔર ડુબ કે જાના હૈ.” આ કહેવત આશિકો ની વચ્ચે ખૂબ જ મશહુર છે. આજની તારીખમાં યુવક-યુવતીઓને ખૂબ જ સરળતાથી પ્રેમ મળી જાય છે. પરંતુ તેનાથી વધારે સરળતાથી પ્રેમ માંથી છુટકારો પણ મળી જતો હોય છે. નાની-નાની બાબતો પર લોકો હંમેશા બ્રેકઅપ કરી લેતા હોય છે.
તમે પણ તમે જોયું હશે કે કપલ ની વચ્ચે નાની-નાની બાબતને લઈને બ્રેકઅપ થઈ જતું હોય છે. બ્રેકઅપ બાદ યુવક યુવતી બંને એકબીજાની તસ્વીરો, ફોન નંબર, મેસેજ, ઈમેલ વગેરે ડીલીટ કરવા લાગે છે. તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે જેથી તેઓને બ્રેકઅપ બાદ પોતાના પાર્ટનરની યાદ ન આવે. પરંતુ શું તમને જાણ છે કે મોટાભાગના બ્રેકઅપ મહિલાઓને કારણે થતા હોય છે.
મહિલાઓને કારણે થાય છે બ્રેકઅપ
જી હાં, તમે બરાબર વાંચ્યું છે. મોટાભાગે બ્રેકઅપનું કારણ યુવતીઓ હોય છે. અમે આવું નથી કહી રહ્યા, પરંતુ હાલમાં જ કરવામાં આવેલ એક સર્વે અનુસાર યુવતીઓને કારણે વધારે થતાં હોય છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે આખરે મહિલાઓ ક્યારે અને શા માટે બેવફા બની જતી હોય છે? આ સર્વે અનુસાર મહિલાઓ મુખ્ય બે કારણને લીધે બેવફા બની જતી હોય છે. સર્વેમાં એવું પણ બતાવવામાં આવ્યું હતું કે યુવકોની તુલનામાં યુવતીઓમાં દગો આપવાની પ્રોબેબિલિટી વધારે હોય છે. તો ચાલો જાણીએ કે તે બે કારણો કયાં છે, જેના લીધે મહિલાઓ બેવફા બની જતી હોય છે.
શારીરિક રૂપથી સંતુષ્ટ ન હોવું
આ સર્વે અનુસાર જે મહિલાઓ મોટાભાગે ઓર્ગેઝમ મહેસૂસ કરવાની વાત સ્વીકારે છે, તેમની સંખ્યા પોતાના પાર્ટનરને દગો આપવાની સૌથી વધારે હોય છે. સર્વે અનુસાર આવી મહિલાઓ ખૂબ જ ખતરનાક હોય છે અને તેઓ પોતાના પાર્ટનરને કોઈ પણ સમય દગો આપી શકે છે. આવી મહિલાઓ પોતાના પાર્ટનર પાસેથી શારીરિક સુખ પ્રાપ્ત ન થવા પર બહારથી ખુશી શોધવા લાગે છે.
પાર્ટનર પાસેથી રિસ્પેક્ટ મળવી
જો મહિલાઓને એવું લાગી રહ્યું હોય કે તેમનો પાર્ટનર તેમને તે સન્માન નથી આપી રહ્યો, જેમના તેઓ હકદાર છે. તો તેઓ આ સ્થિતિમાં પાર્ટનરથી પોતાને અલગ કરી લે છે. સર્વેમાં મહિલાઓએ કહ્યું હતું કે સંબંધોમાં તેમના માટે પુરૂષોનો વ્યવહાર મહત્વ રાખે છે. તેમને પૂછવામાં આવ્યું કે તેમણે ક્યારેય પોતાના પાર્ટનરને દગો આપ્યો છે, તો લગભગ બધાનો જવાબ એક સરખો જ હતો. અમુક મહિલાઓએ કહ્યું કે પાર્ટનર જો કેરિંગ હોય તો દગો આપવાની સંભાવના ઓછી થઈ જાય છે. વળી તેનાથી વિપરીત તેમને લાગતું હતું કે પાર્ટનર તેમની ઈજ્જત નથી કરતો, તો તેવી સ્થિતિમાં તેઓ દગો આપવાથી પણ ચૂકતી નથી.