પત્નીઓ સવારે ઉઠતાંની સાથે જ પતિ સાથે કરે આ કામ, સુખ અને ભાગ્ય બંને મળશે

Posted by

કહેવામાં આવે છે કે એક પતિ પત્ની જોડી સાત જન્મોની જોડી હોય છે. પરંતુ આજના જમાનામાં આ જોડી એક જન્મમાં સારી રીતે જોડાયેલી રહે તો પણ સારું છે. હસબન્ડ વાઈફ ની વચ્ચે ના સંબંધો સારા હોય કે ખરાબ તેમાં તમારી આજુબાજુ ની એનર્જી ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. તમારે તે પ્રયત્ન કરવા જોઈએ કે તમારી આજુબાજુ માત્ર પોઝિટિવ ઊર્જા વધારે હોય અને નેગેટિવ ઉર્જાનો નામોનિશાન પણ ના હોય. કોઈપણ દિવસ ને સફળ અને સુખદ બનાવવા માટે સવારનો સમય ખૂબ જ યોગ્ય હોય છે.

સવારે પતિ જોડે આ કામ કરવું જોઈએ સ્ત્રીઓએ

શાસ્ત્રો અનુસાર સવારે ઉઠી જો મહિલાઓ પોતાના પતિ જોડે આ ખાસ કામ કરે છે તો તેનો સંબંધ મધુર બને છે અને ભાગ્ય ચમકે છે.

યોગા

સવારે પતિ સાથે યોગા કરવાથી તમે માત્ર ફિટ જ નહીં રહો પરંતુ સાથોસાથ તમારુ મગજ શાંત અને પોઝિટિવ રહેશે. તેનાથી દંપતી વચ્ચે લડાઈ ઝઘડા નહીં થાય. તે ઉપરાંત તમારા બંને પોતાની દિનચર્યામાં વ્યસ્ત રહેવા છતાં અમુક સમય સાથે પસાર કરવા મળશે.

પ્રેમ

દિવસની શરૂઆત પતિ પત્ની પ્રેમની સાથે કરે તો તેમનો મૂડ ફ્રેશ થઈ જાય છે. દિવસભર તમારી અંદર ઉત્સાહ અને જોશ રહે છે. તમે તમારા દરેક કામ એક્સ્ટ્રા એનર્જી સાથે કઈ શકો છો. પરસ્પરમાં પ્રેમ પણ જળવાઇ રહે છે. તેથી સવારે થોડુંક રોમાન્સ તો કરી લેવો જોઈએ.

ભગવાનને નમન

સવારે ભગવાનના આશીર્વાદ લેવાથી દિવસની શરૂઆત સારી રહે છે. તે તમારા શરીરમાં એક સકારાત્મક ઊર્જાનો પ્રવાહ પણ કરે છે. તેથી પતિને સાથે પૂજા કરવી અથવા ભગવાનની સામે હાથ જોડી પ્રણામ પણ કરી લેવું સારું હોય છે.

સૂર્યોદય પહેલા સ્નાન

સૂર્યોદય પહેલા તમે સ્નાન કરી લેવું જોઈએ. એવું કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. તમારા ઘરમાં દરિદ્રતા નથી આવતી. તેથી તમે અને તમારા પતિદેવ બંને પ્રાતઃકાલ જલ્દી સ્નાન અવશ્ય કરી લેવું જોઈએ.

સૂર્યદર્શન

સવારે સૂર્યદેવનો પ્રકાશ લેવો ફાયદાકારક હોય છે. તેની કિરણોમાંથી વિટામીન-ડી અને પોઝિટિવિટી એનર્જી ભરપૂર હોય છે. તેનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને રીતે લાભ હોય છે.

તુલસીમાં જળ અર્પિત કરવું

સવારે સ્નાન કર્યા પછી પતિ-પત્ની સાથે તુલસી માતાને જળ અર્પિત કરવું, તો તેમની જોડી વર્ષો વર્ષ સુધી સલામત જળવાઈ રહે છે. વૈવાહિક જીવનમાં કોઇ સમસ્યા નહીં આવે.

પ્રાતઃકાલ પતિ પત્નીએ આ કરવું જોઈએ

સવારે ઉઠતા જ પતિ પત્ની ની લડાઈ ઝઘડા કરવાથી બચવું જોઈએ. દિવસની શરૂઆત કચકચ થી ના કરવી. તેનાથી તમારો સંપૂર્ણ દિવસ બરબાદ થઈ જશે. સાથે જ સુરજની કિરણો તમારા બેડ ઉપર પડવા લાગે તો ઉઠી જવું જોઈએ. સવારે વધારે સમય ઊંઘવાથી ગરીબી અને નેગેટિવિટી આવે છે. સવારના સમયે નશીલા પદાર્થોનું સેવન પણ ના કરવું, તેનાથી તમારી લાઇફમાં નકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી સવારે ઉઠતાની સાથે જંગલી જાનવર નો ફોટો પણ જોવો નહીં. તમે તમારા બેડરૂમમાં કોઇ દેવી દેવતાનો ફોટો લગાવી શકો છો. કારણકે ઉઠતા જ તેમના દર્શન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *