પુરાતત્વ વિભાગનો મોટો ખુલાસો, સોમનાથ મંદિરની નીચે દબાયેલી છે ૩ માળની ઇમારત

૧૨ જ્યોતિર્લિંગ માંથી એક સોમનાથ મંદિરને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરાતત્ત્વ વિભાગને તપાસનાં આદેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટી પણ છે. લગભગ ૧ વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીએ એક મીટિંગ દરમિયાન પુરાતત્ત્વ વિભાગને આ તપાસ કરવા માટે કહ્યું હતું. હવે પુરાતત્વ વિભાગ તરફથી પોતાનો ૩૨ પાનાનો રિપોર્ટ સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરની નીચે L આકારની એક ઇમારત છે. અંદાજે ૫ કરોડ રૂપિયાની આધુનિક મશીનોથી મંદિરની નીચે તપાસ કરવામાં આવી છે.

૩ માળની L આકારની ઈમારત

પુરાતત્વ વિભાગની તપાસ અનુસાર સોમનાથ મંદિરનાં દિગ્વિજય દ્વાર થી અમુક અંતર પર સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુની આસપાસ બૌદ્ધ ગુફાઓ પણ છે. જમીનની અંદર અંદાજે ૧૨ મીટર સુધી GPR ઇન્વેસ્ટિગેશન કરવા પર જાણવા મળ્યું હતું કે નીચે પણ એક પક્કી બાકી ઈમારત છે અને પ્રવેશ દ્વાર પણ છે. IIT ગાંધીનગર અને પુરાતત્વ વિભાગદ્વારા ૨૦૧૭માં થયેલ શોધમાં જાણવા મળ્યું હતું કે સોમનાથ મહાદેવનાં મંદિર પરિસરમાં એક ૩ માળની L આકારની ઇમારત જમીનની નીચે દબાયેલી છે. ૨૦૧૭માં સોમનાથ મંદિર ટ્રસ્ટની મીટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભાસપાટણ અને સોમનાથમાં પુરાતત્વ અને અધ્યયન કરવાનું સૂચન કર્યું હતું. IIT ગાંધીનગરે આ રિપોર્ટ સોમનાથ ટ્રસ્ટને સોંપ્યો છે.

૩૨ પાનાનો રિપોર્ટ

આ રિપોર્ટમાં સોમનાથ અને પ્રભાસ પાટણના કુલ ચાર વિસ્તારમાં જીપીઆર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું જેમાં ગોલોકધામ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર થી ઓળખવામાં આવતા મેન ગેટ થી સરદાર વલ્લભભાઈ ના સ્ટેચ્યુ ની આસપાસ ની જગ્યા ની સાથે જ બૌદ્ધ ગુફાઓ ને પણ સામેલ કરવામાં આવેલ તેના વિશે ૩૨ આનો એક રિપોર્ટ નકશાની સાથે સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવેલ.

IIT ગાંધીનગરનાં એક્સપર્ટ દ્વારા પાંચ કરોડથી વધારેની કિંમતની મોટી-મોટી મશીનરી અહિયાં લગાવવામાં આવી હતી. અલગ-અલગ વિસ્તારોમાં આ મશીન દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું. અહીંયા પર ૨ મીટર થી લઈને ૧૨ મીટર સુધી GPR ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું.

ગુજરાતનાં વેરાવળમાં સ્થિત સોમનાથ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું. સોમનાથ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત ખંડિત કરવામાં આવ્યું હતું. ઇતિહાસકારોનાં જણાવ્યા અનુસાર આ મંદિરને ઘણી વખત મુસ્લિમ આક્રમણકારીઓ અને પોર્ટુગલીઓ દ્વારા તોડવામાં આવ્યું હતું અને ઘણી વખત તેનું પુનઃનિર્માણ પણ થયુ. મહંમદ ગઝનવીએ પણ આ મંદિર પર આક્રમણ કર્યું હતું અને તેને નુકસાન પહોંચાડ્યું હતું.