રક્ષાબંધનનાં દિવસે મોડું કરતાં નહીં, ધન-દૌલત મેળવવા માટે આનાથી સારો ઉપાય બીજો કોઈ નથી

શ્રાવણ મહિનાની પુનમનાં દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. જોકે આ વર્ષે રક્ષાબંધન ઉજવવાની તારીખને લઈને લોકોમાં ખુબ જ ભ્રમ છે. પુનમ તિથિ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ થી શરૂ થઈ જાય છે, પરંતુ આ દિવસે ભદ્રા કાળ હોવાને લીધે ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ ની સવાર સુધી રાખડી બાંધવા માટે શુભ મુહુર્ત રહેશે. આ દિવસે બહેન હાથમાં મહેંદી લગાવે છે, ભાઈને રાખડી બાંધે છે અને તેમની લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. વળી ભાઈ પોતાની બહેનને ઉપહાર આપે છે અને રક્ષા કરવાનું વચન આપે છે.

તે સિવાય રક્ષાબંધનનો દિવસ સુખ સમૃદ્ધિ મેળવવા માટે ખુબ જ ખાસ હોય છે. આ દિવસે કરવામાં આવતા ઉપાય ખુબ જ ધન લાભ કરાવે છે,  જીવનમાં પ્રગતિ લાવે છે અને દરેક સમસ્યાઓમાંથી છુટકારો અપ આવે છે.

રક્ષાબંધનનાં દિવસે અમુક એવા ઉપાય છે જેને કરવાથી ખુબ જ લાભ મળે છે તથા આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આવું કરવાથી જીવનમાં ખુબ જ ધનદૌલત અને સન્માન મળે છે. સાથો સાથે તમારા દરેક કામમાં આવી રહેલી અડચણ પણ દુર થઈ જાય છે. એટલા માટે જો તમે પોતાના જીવનમાં માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માંગો છો તો તમારે રક્ષાબંધનના દિવસે આ નાના ઉપાય જરૂરથી કરી લેવા જોઈએ.

જો તમારો કોઈ લાંબા સમયથી કામ અટવાયેલ છે અને વારંવાર તે કામમાં અડચણ ઊભી થઈ રહી છે તો તમારે શ્રાવણ મહિનાની પુનમના દિવસે ભગવાન ગણેશની મુર્તિ અથવા તસ્વીરની સામે લવિંગ અને સોપારી રાખવીને પુજા કરવી જોઈએ. જ્યારે પણ કોઈ વિશેષ કાર્ય માટે બહાર નીકળો તો આ લવિંગ અને સોપારીને પોતાની પાસે રાખી લો. આવું કરવાથી કાર્યમાં આવી રહેલી અડચણ દુર થઈ જાય છે અને તે કાર્ય સફળ બને છે.

રક્ષાબંધનનાં દિવસે એક લાલ રંગના માટીના ઘડામાં એક નાળિયેર રાખી દો. નાળિયેર સહિત ઘડાને લાલ રંગના કપડાથી ઢાંકીને યોગ્ય રીતે બાંધી લો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી ધનનું આગમન થાય છે અને આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે.

જો કોઈ વ્યક્તિની પાસે તમારા લાંબા સમયથી પૈસા પડેલા છે અને તે વ્યક્તિ તમને પૈસા પરત નથી આપી રહ્યો હતો તેના માટે રક્ષાબંધનના દિવસે તમારે એક કપુર પ્રગટાવીને તેમાંથી કાજલ બનાવી લેવું જોઈએ. ત્યારબાદ આ કાજલ થી એક કાગળ ઉપર કે વ્યક્તિનું નામ લખી દેવું જોઈએ, જેને તમે પૈસા ઉધાર આપેલા છે. ત્યારબાદ આ કાગળને એક પથ્થર નીચે દબાવી દો. આવું કરવાથી તમને ખુબ જ જલ્દી તમારા પૈસા પરત મળી જશે.

રક્ષાબંધનનાં દિવસે માતા લક્ષ્મીની પુજા અવશ્ય કરો. પુજામાં પાંચ સુકામેવા ઉમેરીને ખીર બનાવો અને તેને માતા લક્ષ્મીને ભોગ લગાવો. આ પ્રસાદ બાળકોમાં વહેંચી દો. આવું કરવાથી નોકરી અને વેપારમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે. કુંડળીમાં જો ચંદ્ર દોષ છે, તો રક્ષાબંધન એટલે કે શ્રાવણ મહિનાની પુનમના દિવસે “ૐ સોમેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો અને દુધનું દાન કરો. તેનાથી કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ દુર થાય છે.

રક્ષાબંધનનાં દિવસે ઉપર જણાવવામાં આવેલા ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને લાભ અવશ્ય મળે છે, એટલા માટે તમારે પોતાની સમસ્યા અનુસાર રક્ષાબંધનના દિવસે ઉપર જણાવવામાં આવેલા સરળ ઉપાય અવશ્ય કરવા જોઈએ. તેનાથી તમારું જીવન ધન દૌલત અને માન સન્માન થી ભરાઈ જશે.