રામ મંદિરનાં પાયામાં દફનાવવામાં આવશે ટાઇમ કેપ્સ્યુલ, આ પહેલા ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લામાં દફનાવી હતી ટાઇમ કેપ્સ્યુલ

Posted by

અયોધ્યામાં રામ મંદિર બનાવતા સમયે તેના પાયામાં એક ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવશે. આવનારા સમયમાં મંદિરના ઈતિહાસને લઈને કોઈ વિવાદ ન થઈ શકે એટલા માટે આ ટાઈમ કેપ્સ્યુલ રામ મંદિર માં ૨૦૦ ફૂટ નીચે દફનાવવામાં આવશે અને રામજી સાથે જોડાયેલ ઈતિહાસ લખવામાં આવશે.

શું હોય છે ટાઈમ કેપ્સ્યુલ

ટાઈમ કેપ્સ્યુલને એક કન્ટેનર ના રૂપમાં મૂકવામાં આવે છે, જે સદીઓ બાદ પણ ઐતિહાસિક દસ્તાવેજનાં રૂપમાં ઓળખવામાં આવે છે. ટાઈમ કેપ્સ્યુલને ખાસ ચીજોથી બનાવવામાં આવે છે, જેના કારણે તે ખૂબ જ ઊંડાઈમાં પણ દફનાવવામાં આવ્યા બાદ હજારો વર્ષ સુધી સડતી નથી. તમને જણાવી દઈએ કે ૩૦ નવેમ્બર ૨૦૧૭ માં સ્પોનમાં બર્ગોસમાં અંદાજે ૪૦૦ વર્ષ જુની એક ટાઈમ કેપ્સ્યુલ મળી હતી. જે યીશુ મસીહાની મૂર્તિના રૂપમાં હતી. તેમાં વર્ષ ૧૭૭૭ ની આસપાસ ની આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જાણકારી આપવામાં આવી હતી. વળી આવી જ એક કેપ્સ્યુલ રામ મંદિરના નિર્માણ દરમિયાન દફનાવવામાં આવશે.

લાલ કિલ્લાનાં પાયામાં પણ મૂકવામાં આવી હતી ટાઈમ કેપ્સ્યુલ

વર્ષ ૧૯૭૩માં ઇન્દિરા ગાંધી સરકારે લાલ કિલ્લાનાં પાયામાં ટાઈમ કેપ્સ્યુલ મૂકી હતી. જેને કાલપત્ર ના નામથી ઓળખવામાં આવે છે. આ ટાઈમ કેપ્સ્યુલ માં ઇન્દિરા ગાંધી તરફથી શું લખવામાં આવ્યું હતું તે હાલના સમયમાં પણ એક રહસ્ય છે. ઇન્દિરા ગાંધીએ આ ટાઈમ કેપ્સ્યુલમાં લખેલ જાણકારી ગુપ્ત રાખી હતી. જો કે વિપક્ષના લોકોનો આરોપ હતો કે આ કાલપત્રમાં ઇન્દિરા ગાંધીએ પોતાના પરિવારની મહિમા લખી હતી.

Netaji: Rediscovered નામના પુસ્તકમાં ઇન્દિરા ગાંધી તરફથી જણાવવામાં આવેલ આ ટાઈમ કેપ્સ્યુલનો ઉલ્લેખ મળે છે. આ પુસ્તક કનૈયાલાલ બાસુએ લખેલ હતું. કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી ઇચ્છતા હતા કે આઝાદી બાદ ૨૫ વર્ષમાં દેશની ઉપલબ્ધિ અને સંઘર્ષ વિશે લખવામાં આવે અને આ ચીજોને ઇન્દિરા ગાંધીએ એક ટાઈમ કેપ્સ્યુલમાં લખાવેલ હતા. આ કામની જવાબદારી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટ્રીકલ રિસર્ચ ને સોંપવામાં આવી હતી. મદ્રાસ ક્રિસ્ચન કોલેજના ઇતિહાસના પ્રોફેસર એસ. કૃષ્ણસ્વામીને પૂરી પાંડુલિપિ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

થયો હતો ખૂબ જ વિરોધ

ઇન્દિરા ગાંધી તરફથી લાલ કિલ્લામાં આ કાલપત્રને ૧૫ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ દફનાવવામાં આવ્યું હતું અને તે સમયે તેનો ખૂબ વિરોધ થયો હતો. વિપક્ષનો કહેવાનું હતું કે ઇન્દિરા ગાંધીએ ટાઈમ કેપ્સ્યુલ માં પોતાના અને પોતાના વંશ વિશે ઉલ્લેખ કર્યો છે. આ વિવાદ એટલો વધી ગયો હતો કે તે દરમિયાન જનતા પાર્ટીના લોકોએ વાયદો કર્યો હતો કે ચૂંટણી જીતવા પર તેઓ આ કાલપત્રને ખોદીને કાઢશે અને જોવામાં આવશે કે તેમાં શું લખેલું છે.

વળી વર્ષ ૧૯૭૭માં મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની સરકાર બન્યા બાદ આ ટાઈમ ટેબલને કાઢવામાં આવી પરંતુ તેના પર શું લખવામાં આવ્યું હતું તેનો ખુલાસો જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો નહીં. વર્ષ ૨૦૧૩માં ઇકોનોમિક ટાઈમ્સ માં આ બાબત પર સમાચાર છાપવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટાઈમ કેપ્સ્યુલ વિશે જાણકારી આપવાથી ઇનકાર કર્યો છે. લેખક મધુ પૂર્ણિમા કિશ્વરે આ સંબંધમાં સરકાર પાસે સૂચના માંગી હતી. પરંતુ તેમને કંઇ હાથ લાગ્યું શક્યું નહીં.

નરેન્દ્ર મોદીએ દફનાવી હતી ટાઈમ કેપ્સ્યુલ

કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૧માં એક ટાઈમ કેપ્સ્યુલ ગાંધીનગરમાં નિર્મિત મહાત્મા ગાંધી મંદિર નીચે દફનાવેલી હતી. વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના પર મોદીએ પોતાની ઉપલબ્ધિઓના વખાણ કર્યા છે. તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *