રામચરિત માનસ અનુસાર એક પુરુષની આ ઈચ્છાઓ ક્યારેય પણ પુરી નથી શકતી

દરેક વ્યક્તિની અમુક ઇચ્છાઓ હોય છે અને તેને પૂરા કરવા માટે તે પ્રયાસ પણ કરે છે. અમુક ઈચ્છાઓ પૂરી થઈ જાય છે, પરંતુ અમુક અધૂરી રહી જાય છે. તો ચાલો આજે અમે તમને અમારા આર્ટિકલમાં એવી ઈચ્છાઓ વિશે જણાવીશું, જે અમુક લોકો ક્યારેય પણ પૂરી કરી શકતા નથી. આ અસંભવ ઇચ્છાઓ વિશે લક્ષ્મણે સુર્પણખાને જણાવ્યું હતું. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસનાં અરણ્યકાંડમાં જ્યારે સુર્પણખા લક્ષ્મણની સામે પ્રણય પ્રસ્તાવ રાખેલ છે ત્યારે લક્ષ્મણજી કહે છે કે –

सुंदरि सुनु मैं उन्ह कर दासा। पराधीन नहिं तोर सुपासा।। प्रभु समर्थ कोसलपुर राजा। जो कछु करहिं उनहि सब छाजा।।

આ દોહામાં લક્ષ્મણ સુર્પણખાને કહે છે કે, હે સુંદરી! હું શ્રીરામનો સેવક છું, હું પરાધીન છું. જેથી મને જીવનસાથી બનાવીને તમને સુખની પ્રાપ્તિ નહીં થાય. તમે શ્રીરામ પાસે જાઓ, તે બધા કાર્ય કરવામાં સમર્થ છે.

सेवक सुख चह मान भिखारी। ब्यसनी धन सुख गति विभिचारी।। लोभी जसु चह चार गुमानी। नभ दुहि दूध चहत प्रानी।।

આ દોહામાં લક્ષ્મણે એવા ૬ પુરુષોનાં વિષયમાં વાત કરી છે, જેની અમુક ઈચ્છાઓ પૂરી થવી અસંભવ છે.

પહેલો પુરુષ છે સેવક

જો કોઈ સેવક સુખ ઈચ્છે છે તો તેની આ ઇચ્છા ક્યારેય પૂરી થઈ શકતી નથી. સેવક હંમેશા માલિક એટલે કે સ્વામીની ઈચ્છાઓને પૂરી કરવા માટે તત્પર રહે છે. જેથી તે પોતાના સુખની કલ્પના ક્યારે પણ કરી શકતો નથી.

બીજો પુરુષ છે ભિખારી

જો કોઈ ભિખારી એવું વિચારે કે તેને સમાજમાં પૂર્ણ માન-સન્માન મળે, બધા લોકો તેનો આદર કરે તો તેની આ ઇચ્છા ક્યારેય પણ પુરી થતી નથી. ભિખારીને હંમેશા લોકો તરફથી હંમેશા ધિક્કારવામાં આવે છે. તેને ઘણી વખત અપમાનીત પણ થવું પડે છે.

ત્રીજો પુરુષ છે વ્યસની

જો કોઈ વ્યસની છે (જેને જુગાર, શરાબ વગેરેનો નશો કરવાની આદત હોય) તે એવી ઇચ્છા રાખે કે તેની પાસે હંમેશા ઘણું બધું ધન રહે તો તેની આ ઈચ્છા ક્યારેય પણ પૂરી થઈ શકતી નથી. આવા લોકોની પાસે જો કુબેરનો ખજાનો હોય તો તે પણ ખાલી થઈ જાય છે. આ લોકો હંમેશા દરિદ્ર રહેશે. નશાની લતમાં તે હંમેશા પોતાનું બધું લુટાવી દેતા હોય છે.

ચોથો પુરુષ છે વ્યભિચારી

શાસ્ત્રો અનુસાર વ્યભિચારને ભયંકર પાપ માનવામાં આવે છે. જો કોઈ પુરુષ પોતાની પત્ની પ્રત્યે વફાદાર નથી અને અન્ય સ્ત્રીઓની સાથે અવૈધ સંબંધ રાખે છે, તો તેને ક્યારેય પણ ઉન્નતિ પ્રાપ્ત થતી નથી. આવા લોકોનો અંત ખૂબ જ ખરાબ હોય છે. જે સમયે તેની ગુપ્ત વાતો પ્રગટ થઈ જાય છે, તેના બધા પ્રકારના સુખ સમાપ્ત થઈ જાય છે. સાથે જ આવા લોકો ભયંકર પીડાઓનો સામનો પણ કરે છે.

પાંચમો પુરુષ છે લોભી

જે લોકો લાલચુ હોય છે તે હંમેશા ધનના વિષયમાં વિચારતા રહે છે. તેમના માટે યશની ઈચ્છા કરવી વ્યર્થ છે. લાલચને કારણે ઘર પરિવાર અને મિત્રોને પણ મહત્વ આપતા નથી. ધનની ઈચ્છા માટે તે કોઈ પણ વ્યક્તિનું હિત પણ કરી શકે છે, જેના કારણે તેમને યશની પ્રાપ્તિ થતી નથી. જેથી લોભી વ્યક્તિની યશ મેળવવાની ઈચ્છા ક્યારે પણ પૂરી થઈ શકતી નથી.

છઠ્ઠો પુરુષ છે અભિમાની

જો કોઈ વ્યક્તિ ઘમંડી છે અને અન્ય લોકોને તુચ્છ સમજે છે અને પોતાને શ્રેષ્ઠ માને છે, તો આવા લોકોને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત થતું નથી. સામાન્ય રીતે આવા લોકો ચાર ફળ – અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એક સાથે મેળવવા માંગે છે. એટલા માટે તેમની આ અચ્છા પૂરી થવી અસંભવ છે. શાસ્ત્રોમાં ઘણા એવા અભિમાની પુરુષો બતાવવામાં આવેલા છે, જેમનો નાશ તેમના અભિમાનને કારણે થયો છે. રાવણ અને કંસ પણ આવા જ અભિમાની હતા.