રણબીર અને આલિયાનાં લગ્નમાં સલમાન સહિત આ ઍક્ટર્સને નહીં આપવામાં આવે આમંત્રણ, છેલ્લા નંબરનું નામ જાણીને લાગશે આંચકો

હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર બોલિવુડ સ્ટાર આલિયા ભટ્ટ અને રણવીર કપુરનાં લગ્નની ચર્ચા ખુબ ચાલી રહી છે. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે આ બંને એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના છે. જોકે અત્યાર સુધી બંને એક્ટર અથવા તેમના પરિવાર તરફથી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એવું જણાવવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીર ૧૭ એપ્રિલના રોજ લગ્ન કરી શકે છે.

આ સમાચારોની વચ્ચે હવે બંનેના વેડિંગ વેન્યુ અને ગેસ્ટ લિસ્ટની વાતો પણ સામે આવી રહી છે. આ ગેસ્ટ લિસ્ટમાં ઘણા બોલિવુડના સેલિબ્રિટી નું નામ છે, જે આવવાના છે, તો વળી ઘણા મોટા સેલિબ્રિટી નું નામ લિસ્ટ માં નથી.

આ મોટા સેલિબ્રિટી આલિયા રણવીર ના લગ્નમાં નહીં થાય સામેલ

હવે તમને તો જાણ હશે કે કેટરીના અને રણબીર કપુર ની વચ્ચે એક સમયે ખુબ જ ઊંડો સંબંધ હતો. તેવામાં રણબીર પોતાની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિનાને વળી કેવી રીતે બોલાવી શકે છે.

સિદ્ધાર્થને કંગનાનું આવવું પણ મુશ્કેલ

તે સિવાય આ લગ્નમાં બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કંગના રનૌત પણ આવવાના નથી. કંગના અને આલિયાની વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વિશે વળી કોણ નથી જાણતું. કંગના રનૌત અને આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વખત પર વાદ-વિવાદ કરી ચુક્યા છે.

વળી આ કારણને લીધે બની શકે છે કે કંગના પણ આલિયા અને રણબીર ના લગ્નમાં જોવા ન મળે. તો વળી સિદ્ધાર્થ મલ્હોત્રા આલિયા ભટ્ટ ના એક્સ બોયફ્રેન્ડ છે, એટલા માટે તેઓ પણ આ લગ્નમાં સામેલ થવાના નથી.

ગોવિંદા પણ નહીં હોય લિસ્ટમાં શામેલ

તે સિવાય આલિયા અને રણબીર નાં લગ્નમાં બોલિવુડ એક્ટર ગોવિંદા પણ આવશે નહીં. હકીકતમાં રણબીર કપુરની ફિલ્મ જગ્ગા જાસુસ દરમિયાન બંને વચ્ચે વિવાદ થયો હતો. જેના કારણે ફેન્સનો માનવું છે કે તેમને પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ નહીં હોય.