કોરોનાની રસી લીધા બાદ અને પહેલા બિલકુલ પણ ન કરવા જોઈએ આ ૬ કામ, જાણવું ખુબ જ જરૂરી છે
કોરોના વાયરસ વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન માં ઘણા નવા બદલાવ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ પહેલા અને બાદમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના સંબંધમાં હવે દિશાનિર્દેશ રજુ કરેલા છે, જેથી ઓનલાઇન રસી ની એપોઇન્ટમેન્ટ બુક કરાવી રહેલા લોકોના મનમાં કોઈ ગેરસમજણ ન રહે.
હાલનાં સમયમાં ભારતમાં રસીકરણ અભિયાન ત્રીજા ચરણમાં ચાલી રહ્યું છે, જ્યાં ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના લોકોને પણ તરફથી લગાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્ય ને કહ્યું છે કે તેઓ ૪૫ વર્ષથી વધારે ઉમરના લોકોના રસીકરણને પ્રાથમિકતા આપે. કારણ કે કોરોના વાયરસ ની નવી લહેરમાં પણ વૃદ્ધો માટે વધારે ખતરો રહેલો છે.
રસી લેવાનું કોણે ટાળવું જોઈએ?
નવા રજુ કરવામાં આવેલા દિશાનિર્દેશ અનુસાર જે લોકો હાલમાં જ કોરોના વાયરસનાં સંક્રમણ માંથી બહાર આવ્યા છે, તેમણે રસીકરણ માટે ૩ મહિના સુધી રાહ જોવી જોઈએ. વળી પહેલા ૪ સપ્તાહનું અંતર અનિવાર્ય હતું, જેને હવે ખતમ કરી દેવામાં આવેલ છે.
આ રીતે ૩ મહિનાની રાહ જોવાની સલાહ તે લોકો માટે પણ આપવામાં આવી છે, જેનો પ્લાઝમા થેરાપી થી ઈલાજ થયેલો છે અને તેમના માટે પણ કે જેઓ રસીનો પહેલો ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થયા છે. વળી જે લોકો કોઇ અન્ય બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થયેલા હતા, તેમણે પણ રસીકરણ માટે ૪ થી ૮ સપ્તાહ સુધી રાહ જોવી જોઈએ.
કોવિશિલ્ડ નાં બીજા ડોઝ માટે નવા નિયમ
📍 Mandatory provisions during #COVID19Vaccination
➡️ Do’s👍
➡️ Don’ts👎☑️ Have a look to know about this👇#Unite2FightCorona #StaySafeStayHealthy pic.twitter.com/iVOmflEMgt
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 20, 2021
હવે કોવિશિલ્ડ નો બીજો ડોઝ પહેલા ડોઝ નાં ૧૨ થી ૧૬ સપ્તાહ બાદ લેવામાં આવશે. કોવિન પોર્ટલને તેના માટે રી-કોન્ફિગર કરવામાં આવેલ છે. પરંતુ જે લોકોએ પહેલાં જ પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરાવી લીધી હતી, તેઓ ઇચ્છે તો નિર્ધારિત સમય પર પોતાનો બીજો ડોઝ લઈ શકે છે. તેની સાથે જ જો તેઓ ઇચ્છે તો ૮૪ દિવસનાં અંતરાળ ની નવી ગાઇડલાઇન પુરી કરવા માટે પણ આગળની બીજી તારીખ લઈ શકે છે.
ચાલો જાણીએ તે ક્યાં છો કામ છે જે કોઈએ કરવા જોઇએ નહીં
- એપોઇન્ટમેન્ટ વગર રસીકરણ સેન્ટર પર જવું નહીં. તેનું કારણ એ છે કે કોરોના રસીકરણનાં બધા સ્લોટ કોવિડ રજીસ્ટ્રેશનનાં માધ્યમથી ઓનલાઇન બુક કરવામાં આવે છે.
- એક વ્યક્તિએ એકથી વધારે પ્લેટફોર્મ પર એપોઇન્ટમેન્ટ બુક કરવી જોઈએ નહીં.
- એક વ્યક્તિ અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા ફોન નંબર અને ઘણા આઈડી પ્રુફનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
- રસીકરણનાં દિવસે શરાબ અથવા અન્ય કોઈ માદક પદાર્થોનું સેવન કરવું જોઇએ નહીં.
- રસીની સાઇડ ઇફેક્ટ બાબતમાં પણ બિલકુલ ગભરાવવું જોઈએ નહીં.
- બીજા ડોઝ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન ની કોઈ જરૂરિયાત નથી.