શું તમને ક્યારેય રસ્તા પર પડેલા પૈસા મળ્યા છે? ઘણા બધા લોકો એવા હોય છે જેમને ક્યારેક ને ક્યારેક રસ્તા પર પડેલા પૈસા જરૂર થી મળેલા હોય છે. તમે જોયું હશે કે જ્યારે તમને કોઈ રસ્તા પરથી પડેલા પૈસા મળે છે તો તે પૈસાને ગરીબને દાન આપી દે છે અથવા તો તેને કોઈ મંદિરમાં મુકી ડેટા હોય છે. ખૂબ જ ઓછા એવા લોકો હોય છે જે મળેલા પૈસા પોતાની પાસે રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જમીન પર પડેલા પૈસા કંઈક અલગ વાતનો સંકેત આપે છે.
તમને જણાવી દઈએ કે તેનો સીધો સંબંધ આધ્યાત્મિકતાની સાથે છે. વળી જમીન પર પડેલા પૈસા ને ઉઠાવવા જોઈએ નહીં, પરંતુ જો ભૂલથી ઉઠાવી લીધા તો તેને પોતાની પાસે રાખવા જોઇએ નહીં. કારણ કે તમને જાણ હોતી નથી કે જે વ્યક્તિના પૈસા પડેલા છે તે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
પોતાની પાસે રાખવા નહીં રસ્તા પર મળેલા પૈસા
હકીકતમાં જો તમે જમીન પર પડેલા પૈસા ઉઠાવો છો તો જે વ્યક્તિના તે પૈસા છે તેની ઊર્જા તમારામાં આવી જાય છે. ઉર્જા સકારાત્મક અથવા નકારાત્મક પણ હોઈ શકે છે. જો વ્યક્તિ ખુશ છે અને તેના દિવસો સારા પસાર થઈ રહ્યા છે, તો તેની સકારાત્મક ઉર્જા પૈસા દ્વારા તમારા માં પ્રવેશી જશે. પરંતુ જો વ્યક્તિ દુઃખી છે અને ખરાબ દિવસોમાં પસાર થઇ રહ્યો છે, તો તેની નકારાત્મક ઉર્જા તમારામાં આવી જશે. એટલા માટે સડક પર પડેલા પૈસા ઉઠાવવા જોઈએ નહીં અને જો ભૂલથી પણ ઉઠાવી લીધા તો તેને પોતાની પાસે રાખવા જોઇએ નહીં.
રસ્તા પર સિક્કા મળવા શુભ માનવામાં આવે છે
તમને જણાવી દઈએ કે ઉર્જાનું આદાન-પ્રદાન આગળ પણ ચાલતું રહે છે. જો તમને સડક પર મળેલા પૈસા ઉઠાવો છો, તો જે વ્યક્તિના તે પૈસા પડેલા છે તેની ઊર્જા તમારામાં આવી જાય છે પરંતુ સાથોસાથ આગળ તમે જે વ્યક્તિને તે પૈસા આપો છો તેનામાં તમારી ઉર્જા ચાલી જાય છે. આ શૃંખલા આવી જ રીતે આગળ વધતી રહે છે.
પરંતુ જો તમને રસ્તા પર સિક્કા પડેલા મળે તો તે શુભ માનવામાં આવે છે. હકીકતમાં કહેવામાં આવે છે કે રસ્તા પર પડેલા સિક્કા મળવા નવી શરૂઆત તરફ ઇશારો કરે છે. મતલબ કે જો તમે કોઈ પરીયોજના શરૂ કરવા માંગો છો અથવા તેને સફળ બનાવવા માંગો છો તો તે સૌથી ઉત્તમ સમય છે. સડક પર મળેલા સિક્કાનો સંબંધ પ્રગતિ અને ઉપલબ્ધીઓ સાથે હોય છે. તમે તેને એક શુભ સંકેત માની શકો છો. તેનાથી વિપરીત રસ્તા પર જો નોટ મળે છે, તો તે અશુભ સંકેત માનવામાં આવે છે.
નોટ મળવા પર થઈ જાઓ સતર્ક
જ્યાં સડક પર મળેલા સિક્કા પ્રગતિ તરફ ઇશારો કરે છે, તો વળી રસ્તા પર મળેલી નોટ આવનારા સમય માટે સચેત કરે છે. રસ્તા પર જો તમને નોટ પડેલી મળે તો સમજી જાઓ કે તમારી પરિસ્થિતિઓને ગંભીરતાથી જોવાની જરૂરિયાત છે. આ વિચારો છે કે તમે પોતાના કામમાં બેદરકારી રાખી રહ્યા છો અને આવું જ ચાલતું રહ્યું તો તમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે જ્યારે પણ તમે રસ્તા પર નોટ પડેલી મળે તો ખુશ થવાને બદલે સતર્ક થઇ જવું અને પરિસ્થિતિઓને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દેવું.