રોહિત શર્માને ઉપકપ્તાની માંથી હટાવવા માંગતા હતા કોહલી, ઉલ્ટો પડી ગયો દાવ, જાણો શા માટે કોહલીએ કેપ્ટનશિપ છોડાવી પડી

વિરાટ કોહલી ટી-૨૦ વર્લ્ડકપ બાદ ક્રિકેટનાં સૌથી નાના ફોર્મેટ ની કેપ્ટનશીપમાં થી હટાવવાનો નિર્ણય કર્યો છે. કોહલીની કેપ્ટનશિપમાં લઈને હવે ખુબ જ સવાલ ઉઠવા લાગ્યા હતા, પરંતુ ગુરુવારે તેમણે અચાનક ટ્વિટર પર તેની ઘોષણા કરી હતી. ક્રિકેટ બોર્ડ દ્વારા બાદમાં તેનું એલાન કરવામાં આવ્યું. પરંતુ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે તેની પાછળનું કારણ શું છે? શા માટે કોહલીએ અચાનક પોતાની કેપ્ટનશીપ છોડવી પડી?

મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો કોહલી નો વ્યવહાર તેની પાછળનું એક મોટું કારણ છે. રિપોર્ટમાં સુત્રોએ હવાલાથી જણાવ્યું હતું કે વિરાટ ની સાથે સમસ્યા સંવાદની છે. મહેન્દ્રસિંહ ધોનીનો રૂમ ૨૪ કલાક ખુલ્લો રહેતો હતો અને કોઈ પણ ખેલાડી અંદર જઈ શકતો હતો. તેમની સાથે વિડીયો ગેમ રમી શકતો હતો, ભોજન કરી શકતો હતો અને જરૂરિયાત પડવા પર ક્રિકેટ વિશે વાતચીત પણ કરી શકતો હતો. તેમણે કહ્યું હતું કે મેદાનની બહાર કોહલી સાથે સંપર્ક કરવો ખુબ જ મુશ્કેલ કામ છે.

તેની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે કોહલીએ સિલેકશન કમિટી સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે રોહિત શર્મા ને ઉપકપ્તાન નાં પદ ઉપરથી હટાવી દેવામાં આવે. કોહલીનું કહેવું હતું કે રોહિત ની ઉંમર ૩૪ વર્ષની છે, એટલા માટે આ જવાબદારી કોઇ યુવા ક્રિકેટર ને સોંપવામાં આવે. કોહલી હકીકતમાં ઋષભ પંત અથવા લોકેશ રાહુલને ઉપકપ્તાન બનાવવા માંગતા હતા.

સુત્રોએ કહ્યું હતું કે બોર્ડ અને કોહલીની આ રીત પસંદ આવી નહીં. તેમનું માનવું હતું કે કોહલી હકીકતમાં ઉત્તરાધિકારી ઇચ્છતા ન હતા. કોહલીનાં ટી-૨૦ માંથી કેપ્ટનશીપ છોડવા પર રોહિત શર્માને આ જવાબદારી મળવી લગભગ નક્કી છે અને તેવામાં રિષભ પંત રાહુલ અને જસપ્રીત બુમરાહ ઉપકપ્તાની નાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

દિલ્હી કેપિટલ્સ ની ટીમ આઈપીએલ ચેમ્પિયન બને છે તો પંત ઉપકપ્તાની નાં પદ માટેના દાવેદારોમાં બની શકે છે. સુત્રોએ જણાવ્યું હતું કે પંતનો દાવો મજબુત છે, પરંતુ લોકેશ રાહુલ ને પણ નકારી શકાય નહીં. કારણ કે તેઓ પણ આઈપીએલના કેપ્ટન છે. એટલું જ નહીં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ છુપા રુસ્તમ સાબિત થઈ શકે છે.