સડક પર વૃક્ષોને શા માટે કરવામાં આવે છે સફેદ કલર, કારણ જાણવું ખુબ જ જરૂરી છે

Posted by

જો તમને હરવા ફરવાનો શોખ છે તો તમે અવારનવાર ટુરનું આયોજન કરતા હશો. તો તમે જાણતા હશો કે હાઇવે ના કિનારા પર સફેદ રંગ કરેલ વૃક્ષોને જરૂર જોયેલા હશે. શહેરની વચ્ચે પણ કોઈ જગ્યાએ સફેદ અથવા લાલ રંગથી વૃક્ષોને રંગ કરવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે, તે જાણીને તમને જરૂર ખુશી થશે, કારણ કે તે આપણા બધા જ માટે જરૂરી છે.

કલર કરવાથી વધે છે વૃક્ષોનું આયુષ્ય

વૃક્ષોને કલર કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેના લીધે વૃક્ષની છાલમાં પડતી તિરાડો ને બંધ કરીને તેનું આયુષ્ય વધારવામાં આવે છે. ઘણી વખત વૃક્ષોમાં જીવ-જંતુઓ પોતાનું ઘર બનાવી લે છે. તેવામાં વૃક્ષ ને કલર કરવાથી તેની ડાળખીઓ તૂટવાની સંભાવના ઓછી થઈ જાય છે. વૃક્ષ ને કલર કરતાં સમયે તેનું કોઈ ભાગ ખરાબ જણાઈ આવે છે તો તેને પણ હાઇલાઇટ કરવામાં આવે છે, જેથી આગળ જઈને તેનું વધારે ધ્યાન રાખી શકાય. જાણી લો કે નવા વૃક્ષો લગાડવાથી વધારે જરૂરી છે કે ઉગેલા વૃક્ષો ની જિંદગી બચાવવી.

કોણ કરે છે કલર

ભારતમાં હાઇવે થી લઈને શહેરી વિસ્તારોમાં વૃક્ષોને કલર કરવાનું કામ વનવિભાગ દ્વારા કરવામાં આવે છે. કલર કરવાથી વૃક્ષ ને વધારે ફાયદો થાય છે, તેની સાથે તે વૃક્ષને કાપવાથી પણ સુરક્ષા આપી શકાય છે. હવે તમને સવાલ થશે કે એ કેવી રીતે? કલર કરવામાં આવેલ વૃક્ષ એ વાતને નિશાની હોય છે કે તે વન વિભાગને દેખરેખમાં છે. જે વ્યક્તિ તેને નુકસાન પહોંચાડશે, વન વિભાગ તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે.

ઘણા રંગોનો થાય છે ઉપયોગ

સમગ્ર દેશમાં વૃક્ષોને કદર કરવા માટે ફક્ત સફેદ જ નહીં પરંતુ ઘણા રાજ્યોમાં વાદળી, લાલ અથવા સફેદ અને લાલ રંગને એક ઉપર એક કલર કરવામાં આવે છે. આ રંગો રાત્રિના સમયે ગાડીની લાઇફમાં પણ સરળતાથી જોઇ શકાય છે, જેના લીધે ડ્રાઇવરોની પણ સરળતા રહે છે. જો સામાન્ય રીતે જોવામાં આવે તો વૃક્ષો પર કરવામાં આવતો આ કલર સૌથી પહેલા તેમની અને પછી આપણે જિંદગી ની રક્ષા કરે છે. જો કોઈ આ વૃક્ષ ને નુકસાન પહોંચાડે છે અને તમને જાણ થાય છે તો તુરંત જ પોલીસને તેની સૂચના કરો, આખરે તે તમારી સુરક્ષા માટે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *