કોરોના વાયરસ : સંશોધનમાં આશંકા વ્યક્ત કરવામાં આવી કે ૨ વર્ષ બાદ મળશે મહામારીમાંથી છુટકારો

Posted by

એક શોધમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસ જેવી મહામારી સરળતાથી જશે નહીં. અમેરિકાની એક યુનિવર્સિટી દાવો કર્યો છે કે આ મહામારીને ખતમ થવામાં અંદાજે ૨ વર્ષનો સમય લાગશે. તેના જણાવ્યા અનુસાર જ્યાં સુધી દુનિયાની બે તૃતીયાંશ વસ્તી આ વાયરસ માટે પ્રતિરોધક ક્ષમતા વિકસિત નથી કરી લેતી, ત્યાં સુધી કોરોનાથી છુટકારો મેળવવો અસંભવ છે. મહત્વપૂર્ણ છે કે દુનિયામાં ૩૫ લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. વળી અંદાજે ૨ લાખ ૫૦ હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

લક્ષણ નહી દેખાવા પડકાર છે

કોરોના વાયરસને લઈને ઘણી ગેરસમજો છે. લક્ષણોના આધાર પર તેની ઓળખ કરવાનો પહેલા દાવો કરવામાં આવતો હતો. પરંતુ હવે તેના લક્ષણો પણ સામે નથી આવી રહ્યા. તેવામાં આ વાયરસને નિયંત્રણમાં કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. યુનિવર્સિટિ ઓફ મિનેસોટા નાં સેન્ટર ફોર ડિસીઝ રિસર્ચ એન્ડ પોલીસી ના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં લોકડાઉન ઘોષિત કરવામાં આવી ચુકેલ છે. આ મહામારી ૨૦૨૨ સુધી ચાલુ રહી શકે છે. જે લોકોને આગામી સમયમાં તૈયાર રહેવા માટેની ચેતવણી આપે છે.

૧૫ લાખ લોકોને ખતરા માંથી બહાર કાઢ્યા

આ રિપોર્ટને સંસ્થાના ડાયરેકટર માઈકલ ઓસ્ટરહોમ અને મેડિકલ ડાયરેકટર ક્રિસ્ટન મુરને અને હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એપીડિમિયોલજીસ્ટ માર્ક લિપચીસ ની સાથે મળીને બનાવેલ છે. તેના અનુસાર ૨૦૦૯-૧૦માં ફ્લૂ મહામારીની વેક્સિને અમેરિકામાં ૧૫ લાખ લોકોને ખતરા માંથી બહાર કાઢ્યા હતા. તેમાંથી ૫૦૦ લોકોને મારવાથી બચાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *