સરકાર હવે દરેક ઘરમાં લગાવશે પ્રીપેડ સ્માર્ટ મીટર, શહેરોમાં પહેલા મીટર લગાવવાની તૈયારી, જાણો કેવી રીતે કરશે કામ

કેન્દ્ર સરકારે વીજળી ચોરીને રોકવા તથા વીજ કંપનીઓના ઘટાડવા તથા ઉપભોક્તાઓને ગુણવત્તાયુક્ત ઇલેક્ટ્રિક સપ્લાય કરવાના આશયથી એક મોટું પગલું ઉઠાવ્યું છે. આ યોજના અંતર્ગત બધા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલના મીટરને પ્રીપેડ સ્માર્ટ મીટરમાં બદલવાની યોજના છે. તેના માટે ગજટ નોટિફિકેશનની સાથે મીટરને બદલવાની મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત પ્રિપેડ મોબાઇલ અથવા કેબલ કનેક્શન ની જેમ હાલના મીટરને જુના મિત્રોમાંથી સ્માર્ટ મીટરમાં બદલવામાં આવશે. પ્રીપેડ સ્માર્ટ મીટર બધા સરકારી તથા બિનસરકારી તથા વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોમાં લગાવવામાં આવશે.

ઉપયોગ કરતા પહેલા રિચાર્જ કરાવવાનું રહેશે

ધ્યાન આપવાની વાત એ છે કે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ કેબલ ટીવી અને મોબાઇલ ની જેમ પહેલા વીજળીનું રિચાર્જ કરાવવાનું રહેશે. વીજળીનું રિચાર્જ ખતમ થતાં ની સાથે જ પાવર સપ્લાય ઠપ્પ થઈ જશે. વિશેષ સ્થિતિઓમાં ગ્રાહકો માટે થોડા સમય માટે વીજળી કનેક્શન ચાલુ રાખવામાં આવી શકે છે. હાલનાં સમયમાં ગ્રાહકો પહેલા વીજળીનો ઉપયોગ કરે છે અને બીલ આવ્યા બાદ તેનું ચુકવણું કરે છે.

પ્રીપેડ સ્માર્ટ મીટર ના લાભ

પ્રીપેડ સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકોને ફક્ત વીજળી બિલ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો નહીં મળે, પરંતુ સાથોસાથ પોતાના ઘરમાં વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે તેની દરેક સમયે જાણકારી પણ રહેશે. શહેરી ક્ષેત્રોમાં સ્માર્ટ મીટર લગાવવાની યોજના શરૂ થઈ ચુકી છે. સ્માર્ટ મીટરથી વધારે બિલ આવશે નહીં. તે ગ્રાહકોનાં વાસ્તવિક ઉપયોગને દર્શાવે છે. વીજળીનાં સ્માર્ટ મીટરથી ઘરમાં ઉપયોગ થઇ રહેલ વીજળીની દરેક સેકન્ડે જાણકારી મળતી રહે છે. વીજળી બીલ તથા મીટર રીડિંગ માંથી છુટકારો મળી જશે. ગ્રાહક પોતાનો વીજળી બિલ જાતે રિચાર્જ કરાવી શકે છે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ લો વોલ્ટેજની સમસ્યામાંથી છુટકારો મળી જશે અને સતત વીજળી મળી શકશે.

કૃષિ ક્ષેત્ર સ્માર્ટ યોજના માંથી બહાર

સંચાર નેટવર્ક વાળા બધા ક્ષેત્રોમાં ૨૦૨૩ સુધીમાં અને દેશના અન્ય હિસ્સાઓમાં ૨૦૨૫ સુધીમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની યોજના છે. આ યોજનાથી હાલના સમયમાં કૃષિ ક્ષેત્રને બહાર રાખવામાં આવે છે. સાથો સાથ જે ક્ષેત્રમાં સંચાર નેટવર્ક કમજોર છે અથવા નથી તે ક્ષેત્રમાં વીજળીની આપુર્તિ હાલના મીટર દ્વારા જાળવી રાખવાને લઈને સંબંધિત ક્ષેત્રમાં રાજ્ય વિનાયક આયોગ અંતિમ નિર્ણય લેશે.