સૌથી શક્તિશાળી છે ગણેશજીનાં આ ૩ મંત્ર, સાચા મનથી બોલો તો તુરંત ચમકી ઉઠશે કિસ્મત

Posted by

દુઃખ અને સંકટ દરેક વ્યક્તિના જીવનમાં જરૂર આવે છે. ઘણી વખત દુઃખ આપણા જીવનમાં એવી રીતે આવી જાય છે કે પછી જવાનું નામ જ નથી લેતા. તેવા સમયમાં આપણી મદદ ભગવાન કરે છે. જો આપણે સાચા મનથી ઈશ્વરને યાદ કરીએ અને તેમની પૂજા આરાધના કરીએ તો બધા જ દર્દ સમાપ્ત થઈ જાય છે. ગણેશજી પોતાના ભક્તોના દુઃખ અને જલ્દી સમાપ્ત કરવા માટે જાણીતા છે. ગૌરીપુત્ર ગજાનનની ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે.

કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા અવશ્ય થાય છે. તમે પણ ઘણીવખત ગણેશજી ના ઉપાય અજમાવ્યા હશે. આજે અમે તમને ગણેશજીનાં ૩ સૌથી શક્તિશાળી મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ. આ મંત્રોનો પૂર્ણ વિધિવત જાપ કરવાથી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે.

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।। ને ગણેશ ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. જો તમે સતત ૧૧ દિવસ સુધી આ ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો તમારા બધા જ ખરાબ પાપનું ફળ સમાપ્ત થઇ જાય છે. આ મંત્રનાં જાપ બાદ ભાગ્ય તમારો સાથ આપવા લાગશે. આ મંત્રને દરરોજ શાંતિ ભાવથી ૧૦૮ વખત કરવાના રહેશે. તમે ગણેશજીની સામે બેસીને જાપ કરી શકો છો. આ દરમિયાન તમારું સમગ્ર ધ્યાન તેના પર જ કેન્દ્રિત હોવું જોઈએ.

તાંત્રિક ગણેશ મંત્ર

ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश। ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।। આ મંત્ર ગણેશ તાંત્રિક મંત્ર કહેવાય છે. આ મંત્રને દરરોજ પ્રાતઃ અને ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે. આ મંત્રને તમારે ૧૦૮ વખત કરવાનો રહેશે. આવું દરરોજ કરવાથી ખૂબ જ ટૂંકા સમયમાં તમારા જીવનના બધા જ દુઃખો સમાપ્ત થવા લાગશે. સુખ તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિએ પોતાને ક્રોધ, માંસ, મદિરા, પરસ્ત્રી સાથે સંબંધ જેવી ચીજોથી દૂર રહેવાનું રહેશે. ત્યારે જ તમે આ મંત્રનો પૂર્ણ લાભ લઈ શકશો.

ગણેશ કુબેર મંત્ર

ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा। આ ગણેશ કુબેર મંત્ર કહેવાય છે. તેનો જાપ કરવાથી કરજમાંથી છુટકારો મળે છે. ધનની અછત થતી નથી અને દુઃખ દૂર થવા લાગે છે તથા ભાગ્ય તમને સાથ આપે છે. આ મંત્ર અને તમે દરરોજ ગણેશજીની આરતી કરી લીધા બાદ કરી શકો છો. તેનાથી તમને ખૂબ જ મોટો લાભ થશે. તે તમારા માટે ધન કમાવવાના નવા રસ્તા પણ ખોલી આપશે. તમે ઇચ્છો તો આ મંત્રની સાથે બુધવારના દિવસે ગણેશજીના નામનું વ્રત પણ રાખી શકો છો. જે દિવસે તમે આ મંત્રનો જાપ કરો તે દિવસે માંસ, મદિરા અને અન્ય નશાઓથી દૂર રહેવું.

તો આ છે ગણેશજીનાં ૩ સૌથી પાવરફુલ મંત્ર. આશા રાખીએ છીએ કે તમને અમારી જાણકારી પસંદ આવી હશે. તમે આ મંત્રને પોતાના મિત્રો અને સગા-સંબંધીઓ સાથે શેયર કરશો. આવું કરવાથી તે બધા લોકોનાં કામમાં આવશે. આ મંત્રનો જાપ કર્યા સિવાય ગણેશજીની પૂજા કરવાથી, તેમને મોદકનો ભોગ લગાવવાથી, દાન-ધર્મ કરવાથી અને સાચા મનથી ગણપતિ બાપાને યાદ કરવાથી પણ લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *