શાહરુખ ખાને દિકરા આર્યન ખાનની સુરક્ષા માટે આપ્યું સૌથી મોટું બલિદાન

બોલિવુડનાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન પાછલા ઘણા સમયથી ચર્ચામાં છવાયેલા છે. જ્યારથી તેમના મોટા દીકરા આર્યન ખાનનું નામ મુંબઈ ક્રુઝ સફેદ પાઉડર કેસમાં આવ્યું છે, ત્યારથી તેઓ સતત ચર્ચામાં છે. દીકરાની ધરપકડથી જ સમગ્ર ખાન પરિવાર હચમચી ગયો હતો. પુરી કોશિશ કર્યા બાદ આર્યન ખાનને ૨૭ દિવસ જેલમાં પસાર કર્યા પછી જામીન મળ્યા હતા. હજુ પણ તેઓ આ આઘાતમાંથી બહાર નીકળી શક્યા નથી. વળી આર્યન ખાનને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે આ ઘટનાથી ખુબ જ આઘાતમાં છે. તેણે વાત કરવાનું અને મિત્રો સાથે મળવાનું પણ બંધ કરી દીધું છે. તે પોતાના રૂમમાં જ બેસી રહે છે.

દીકરા ની હાલત જોઈને શાહરુખ ખાન અને ગૌરી પણ પરેશાન છે અને તેઓ પહેલાં કરતા વધારે સજાગ બની ગયા છે. શાહરુખ ખાન અને ગૌરી ઇચ્છતા નથી કે આર્યન ખાન ફરીથી આ પ્રકારની કોઈ મુસીબતમાં ફસાઈ જાય. તેવામાં તેઓ દીકરાને પ્રોજેક્ટ કરવાની પુરી કોશિશ કરી રહ્યા છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાને દીકરા માટે મોટુ બલિદાન આપી દીધું છે.

હકીકતમાં થોડા સમય પહેલા સમાચાર આવી રહ્યા હતા કે શાહરુખ ખાન આર્યન માટે બોડીગાર્ડ ની તલાશ કરી રહ્યા છે. પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાને આર્યન ખાન માટે પોતાના બોડીગાર્ડ રવિ સિંહ રાખી દીધેલ છે અને પોતાને માટે એક નવા બોડીગાર્ડ ની તલાશ કરી રહેલ છે. કિંગ ખાનનાં પરિવાર સાથે જોડાયેલા સુત્રોનાં જણાવ્યા અનુસાર આર્યન ખાન હાલમાં કોઇ નવા વ્યક્તિ સાથે કમ્ફર્ટેબલ થઈ શકે નહીં. રવિ સિંહને તેઓ વર્ષોથી જાણે છે અને બન્નેની વચ્ચે ખુબ જ સારી બોર્ડિંગ પણ છે. સફેદ પાવડર કેસમાં આર્યન ખાનને શુક્રવારે NCB ની ઓફિસમાં જવાનું હતું. તેવામાં શાહરૂખ ખાને દીકરા માટે કોઈ ભરોસા લાયક વ્યક્તિને રાખેલ છે.

આ પહેલા સમાચાર મળી રહ્યા હતા કે શાહરુખ ખાન પોતાના અપકમિંગ પ્રોજેક્ટ માંથી થોડા દિવસોનો આરામ લીધેલ છે. કારણ કે તેઓ પોતાના દીકરા સાથે સમય પસાર કરવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન નવેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં પોતાના કામ ઉપર પરત ફરશે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો શાહરુખ ખાન ખુબ જ જલ્દી ફિલ્મમાં “પઠાન” નજર આવનાર છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે.