શાન થી જીવવા માટે આ ૩ કામોમાં બિલકુલ બેશરમ બની જવું જોઈએ, હંમેશા ખુશ અને સફળ રહેવાનો એકમાત્ર મંત્ર

મોટાભાગે લોકો પોતાના જીવનમાં ઘણું બધું કરવા માંગે છે, પરંતુ લોકોની રોક-ટોક અને આલોચનાઓને કારણે અમુક કામો કરવાથી પાછળ હટી જતા હોય છે. તેવામાં ફક્ત ભારતીય મહિલાઓની સાથે જ આવું નથી થતું, પરંતુ પુરુષો પણ સમાજની આવી કૂટનીતિનો શિકાર બની જતા હોય છે. તેવામાં જો તમે સાચા દિલથી સફળ થવા માંગો છો અથવા તો પછી ઉદાહરણ તરીકે વાત ભોજનની લેવામાં આવે તો ભરપેટ જમવા માંગો છો અને જો તમને ભોજન મળી રહ્યું છે, તો લોકો શું કહેશે તેનો ડર રાખવો જોઈએ નહીં.

આવી જ રીતે ઘણા બધા એવા કામ છે જેમાં આપણે ખૂબ જ શરમનો અનુભવ કરીએ છીએ અને પાછળ હટી જતાં હોઈએ છીએ. પરંતુ જો શાનથી જીવન જીવવા માંગો છો તો આ ૩ કામમાં બિલકુલ બેશરમ બની જવું જોઈએ. પછી તમે ક્યારેય ભૂખ્યા રહેશો નહીં અને તમારું કોઇ કામ પણ અટકશે નહીં.

શાંતિ થી જીવન જીવવા માટે આ કામમાં બનો બેશરમ

સમાજમાં આજ સુધી આપણે એવું જ સાંભળવા મળ્યું છે કે વ્યક્તિ એ બધું કરવું જોઈએ પરંતુ ક્યારેય બેશરમ બનવું જોઈએ નહીં. કારણ કે બેશરમ લોકો માટે સમાજ હોતો નથી, સમાજ તો ફક્ત સારા અને સાચા વ્યક્તિ માટે હોય છે. પરંતુ આચાર્ય ચાણક્ય અનુસાર જો વ્યક્તિ આ ત્રણ ચીજો માં બેશરમ બનતો નથી, તો દુનિયા તેને હંમેશા કચડીને પાછળ ધકેલી દેતી હોય છે અને તે વ્યક્તિ હંમેશા તે અફસોસમાં રહે છે કે તે બેશરમ શા માટે બન્યો નહીં. આચાર્ય આવા ત્રણ કાર્યો વિશે જણાવ્યું છે જેને કરતા સમયે આપણે બેશરમ બનવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે શાનથી જીવવા માંગો છો તો આ ૩ કામ માં બિલકુલ બેશરમ બનવું જરા પણ ખોટું કહી શકાય નહીં.

ચાણક્ય અનુસાર જ્યારે પણ આપણે ભોજન કરીએ છીએ તો હંમેશા શરમને કારણે જે પસંદ હોય છે એ માંગી શકતા નથી અને ક્યારેક ક્યારેક આપણે ભોજન પરથી ભૂખ્યા પણ ઊઠી જવું પડે છે. ભોજન કરતાં સમયે વ્યક્તિએ બેશરમ બનવું જોઈએ. જે વ્યક્તિ ભોજન કરતા સમયે શરમનો અનુભવ કરે છે, તે ક્યારે પણ સુખી રહી શકતા નથી. કારણ કે ભોજન કરતાં સમયે શરમ કરનાર વ્યક્તિ હંમેશા ભૂખ્યા રહે છે. એટલા માટે ભોજન કરતાં સમયે શરમને છોડી દેવી જોઈએ.

આચાર્ય ચાણક્ય અનુસાર બીજી વાત એ છે કે જે લોકો જ્ઞાન અર્જિત કરતાં સમયે અથવા અભ્યાસ કરતા સમયે શરમ મહેસૂસ કરે છે, તેઓ ક્યારેય પણ યોગ્ય રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જે લોકો અભ્યાસ કરતા સમયે શરમ અનુભવે છે, તે જીવનભર હંમેશા પસ્તાય છે. એટલા માટે જ્યારે પણ તમને કોઈ બાબત સમજમાં ન આવી રહી હોય અથવા તો કોઈ સવાલ સમજાતો ન હોય તો એવું વિચારવું નહિ કે કોણ જોઈ રહ્યું છે અને કોણ સાંભળી રહ્યું છે.

આચાર્ય ચાણક્ય અનુસાર ત્રીજી વાત એ છે કે જે લોકો ધન કમાતા સમયે શરમ અને સંકોચનો અનુભવ કરે છે, તેઓ ક્યારેય પણ અમીર બની શકતા નથી. જે વ્યક્તિ વેપાર અથવા વ્યવહારથી સંબંધિત પૈસાની લેવડદેવડ કરતા સમયે શરમ મહેસૂસ કરે છે, તે ક્યારેય કંઈ બની શકતા નથી અને પૈસા કમાઈ શકતા નથી. એટલા માટે હંમેશા ગરીબ બની રહેવાથી સારું છે કે જ્યારે પણ તમને અવસર મળે, તો પૈસા પોતાના હોય કે કોઈ જરૂરી કામથી કરજ લેવાનું હોય, તેને માંગવામાં શરમ કરવી જોઈએ નહીં.