શનિવારનાં દિવસે કોલસાનો આ ચમત્કારિક ઉપાય કરી લો, શનિદેવ એટલું આપશે કે ૭ પેઢી અમીર બની જશે

હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓની પુજા અને તેમને પ્રસન્ન કરવા માટે ઘણા બધા નિયમ જણાવવામાં આવેલ છે. સપ્તાહના સાત દિવસમાંથી શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત કરવામાં આવેલ છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. ધાર્મિક અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ જેવા કર્મ કરે છે, તેને શનિદેવ એવું જ ફળ આપે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તો શનિદેવ તેને દંડ આપે છે. વળી જો કોઈ વ્યક્તિ સારા કર્મ કરે છે તો શનિદેવ તેમના શુભ ફળ અને પોતાના આશીર્વાદ આપે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવવામાં આવેલ છે. તો ચાલો તમને આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે શનિવારના દિવસે કોલસાનો ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરીને અપાર ધન સંપત્તિ મેળવી શકાય છે. સાથોસાથ શનિવારના દિવસે કરવામાં આવતા અન્ય ઉપાય વિશે પણ જણાવીશું.

વેપાર અને કોર્ટ કચેરી માટે ઉપાય

જો કોઈ વ્યક્તિને વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું હોય અથવા કોર્ટ કચેરીના મામલા થી પરેશાન છે તો શનિવારના દિવસે ૧૧ પીપળાનાં પાનની માળા બનાવીને શનિ મંદિરમાં અર્પિત કરો, તેનાથી તમને લાભ થશે. ધ્યાન રાખો કે જે સમયે તમે આ માળા ચડાવી રહ્યા હોય તે સમયે “ૐ શ્રીં હ્રીં શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ જરૂર કરો.

પીપળાના વૃક્ષમાં કાચું સુતર વિટાળો

શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં ૭ વખત કાચું સુતર વિટાળી લેવું જોઈએ અને મનમાં શનિદેવનું ધ્યાન કરવું જોઈએ.

દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે ઉપાય

તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે તેના માટે શનિવારના દિવસે થોડા કાળા તલ લઈને પીપળાના વૃક્ષ પર અર્પિત કરો. તે સિવાય પીપળાના વૃક્ષના મુળમાં જળ અર્પિત કરો. આ ઉપાયથી પતિ પત્નીના સંબંધો મધુર બનશે.

અપાર ધન સંપત્તિ મેળવવા માટે ઉપાય

જો તમે પૈસાની તંગીથી પરેશાન છો અને નોકરીની તલાશ કરી રહ્યા છો અને તમને કોઈ જગ્યા સફળતા નથી મળી રહી તો શનિવારના દિવસે એક કોલસો લઈને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય કરવાથી શનિદેવ તમારી ઉપર પ્રસન્ન થાય છે અને ઘરમાં અઢળક ધન સંપત્તિનું આગમન થવા લાગે છે.

ઘરમાં સુખ સમૃદ્ધિ માટે ઉપાય

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ જળવાઈ રહે તો તેના માટે પુષ્ય નક્ષત્રમાં એક કળશમાં પાણી લઈને તેમાં થોડી ખાંડ ઉમેરો અને આ પાણીને પીપળાના વૃક્ષમાં મુળમાં અર્પિત કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય છે.