શાસ્ત્રો અનુસાર સાંજનાં સમયે ભુલથી પણ ના કરવા જોઈએ આ ૪ કામ, નહિતર બની જશો કંગાળ

શાસ્ત્રો અને પુરાણોમાં જીવન સાથે જોડાયેલા ઘણા નિયમો બતાવેલ છે અને આ નિયમોનું પાલન કરીને વ્યક્તિનું જીવન સુખોથી ભરાઈ જાય છે. વળી જે લોકો આ નિયમોને નજરઅંદાજ કરે છે તે લોકોના જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ આવવા લાગે છે. શાસ્ત્રો અને પુરાણોમાં સાંજના સમય સાથે જોડાયેલા અમુક નિયમ બતાવવામાં આવેલ છે અને લખવામાં આવ્યું છે કે જે લોકો આ નિયમોનું પાલન કરતા નથી તેમના જીવનનો વિનાશ થઈ જાય છે. એટલા માટે તમારે ભુલથી પણ સાંજના સમયે નીચે બતાવેલી ચીજો કરવી જોઈએ નહીં.

ભોજન કરવાથી બચવું

શાસ્ત્રો અનુસાર જ્યારે સુર્યાસ્ત થઈ રહેલ હોય તો તે સમયે ભોજન કરવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો સાંજના સમયે ભોજન કરે છે તે લોકોનો આવતો જન્મ પશુના રૂપમાં થાય છે. એટલા માટે આગલા જન્મમાં પશુ યોનીથી બચવા માટે સાંજના સમયે ભોજન ન કરવાના નિયમનું પાલન કરવું જોઈએ.

સુવું નહીં

સાંજના સમયે સુવું વર્જિત માનવામાં આવેલ છે. શાસ્ત્રો અનુસાર જે લોકો સાંજના સમયે સુવે છે તે લોકોના ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી. એટલા માટે સાંજના સમયે સુવા થી બચવું જોઈએ. સાંજનાં સમયે સુવાને બદલે પુજાપાઠ કરો, જેથી ઘરમાં દરિદ્રતા ન આવે અને દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન રહે.

પૈસા ઉધાર ન આપવા

સાંજના સમયે કોઈપણ ને પૈસા ઉધાર આપવાથી બચવું જોઈએ. સાંજના સમયે પૈસા ઉધાર આપવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને હંમેશા માટે જીવનમાં ગરીબી આવે છે. એટલા માટે સાંજના સમયે જો કોઈ તમારી પાસે ઉધાર પૈસા માંગે તો તેને મનાઈ કરી દેવી જોઈએ.

ના કરવી તુલસીની પુજા

સુર્યાસ્ત દરમિયાન તુલસીની પુજા કરવી પણ યોગ્ય માનવામાં આવતી નથી. એટલા માટે તમારે સુર્યાસ્ત થયા બાદ જ તુલસીની પુજા કરવી. શાસ્ત્રો અનુસાર સુર્યાસ્ત દરમિયાન પુજા કરવાથી જીવનમાં ધન સંકટ આવી શકે છે.

આ કામ કરવાથી ચમકી જાય છે કિસ્મત

શાસ્ત્રોમાં તે કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને કરવાથી ભાગ્ય ખુલી જાય છે અને ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીની કમી રહેતી નથી. એટલા માટે તમારે પણ સાંજના સમયે આ કામ કરવા જોઈએ.

દરવાજો ખોલીને રાખો

સાંજના સમયે પોતાના ઘરના મુખ્ય દ્વારને બંધ કરવો નહીં. શાસ્ત્રો અનુસાર સાંજના સમયે મુખ્ય દ્વારને ખોલવાથી માં લક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં ક્યારેય પણ ગરીબી આવતી નથી.

ઘરને રોશનીથી રોશન રાખો

સાંજના સમયે પોતાના ઘરને રોશન રાખવું અને ઘરની લાઈટને શરૂ રાખવી. હકીકતમાં ઘણા લોકો સાંજના સમયે ઘરમાં અંધારું કરી રાખે છે અને ઘરની લાઇટ બંધ કરી દેતા હોય છે, જે બિલકુલ પણ યોગ્ય નથી. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં સાંજના સમયે પ્રકાશ રહે છે, ત્યાં હંમેશા માં લક્ષ્મી નિવાસ કરે છે. એટલા માટે તમારે પણ સાંજના સમયે પોતાના ઘરમાં પ્રકાશ રાખવો જોઈએ.