શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે ઘરમાં આ ૪ છોડ હોય તો પૈસાનો નાશ થઈ જાય છે, અત્યારે જ ઉખાડીને ફેંકી દેજો

વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષ અને છોડ લગાવવા ખુબ જ શુભ માનવામાં આવે છે. એટલા માટે લોકો પોતાના ઘરમાં અલગ અલગ પ્રકારના છોડ લગાવતા હોય છે. પરંતુ તેમાંથી અમુક જ લોકો એવા હોય છે જેમને છોડ વિશે કોઈ જાણકારી હોય છે કે કયો છોડ ઘરમાં લગાવો શુભ હોય છે. આજે એકવાર અમે ફરીથી પોતાની વેબસાઈટ ની મદદ થી તમારા સુધી વૃક્ષ અને છોડ સાથે જોડાયેલી ખાસ જાણકારી જણાવીશું. જેના માધ્યમથી તમે જાણી શકશો કે ઘરમાં કયો છોડ લગાવવાથી તમને નુકસાન થઈ શકે છે.

આજે અમે તમને તે બાબતમાં જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે ઘરમાં કયો છોડ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવો શુભ માનવામાં આવતો નથી. એટલું જ નહીં વાસ્તુ વિશેષજ્ઞનું માનવામાં આવે તો અહીંયા જણાવવામાં આવેલા છોડ ઘરમાં રાખવાથી પૈસાની તંગી થવા લાગે છે. જેના કારણે ઘરમાં અનેક પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણીએ કે આખરે ઘરમાં ક્યાં છોડ રાખવાથી ઘરમાં રહેતા લોકોના જીવન ઉપર ખરાબ પ્રભાવ પડે છે.

ખજુરનો છોડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ક્યારેય પણ ધર્મની અંદર લગાવવો જોઈએ નહીં. કારણ કે ખજુરનું વૃક્ષ ઘરમાં લગાવવું અશુભ હોય છે. જે ઘરમાં ખજુરનું વૃક્ષ હોય છે ત્યાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિ રહેતી નથી. તેવા ઘરમાં હંમેશા પૈસાની અછત અને તંગી રહે છે. સાથોસાથ માથા ઉપર કરજ પણ વધતો જાય છે. તે સિવાય ઘરના સદસ્યાનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહેવા લાગે છે.

કૈક્ટસ

વાસ્તુશાસ્ત્ર અનુસાર કૈક્ટસનો છોડ ઘરમાં લગાવો અશુભ માનવામાં આવે છે. કૈક્ટસનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં પૈસા ક્યારે પણ ટકતા નથી. તેના લીધે આર્થિક પરેશાનીઓ પણ રહે છે. એટલા માટે જો તમારા ઘરમાં છોડ લગાવેલો હોય તો તેને તુરંત હટાવી દેવો જોઈએ, નહીંતર પરેશાનીઓ સામે લડતા રહેશો અને ઘરમાં ક્યારેય પણ બરકત આવશે નહીં.

વાંસનો છોડ

વાંસ ક્યારેય પણ ઘરમાં લગાવવું જોઈએ નહીં. તે અશુદ્ધતા અને વાસ્તુદોષનું કાળ બને છે. વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મ અનુસાર ઘરમાં વાસણો છોડ લગાવવો જોઈએ નહીં. તેને ઘરમાં લગાવવાથી પુર્ણ થવા આવેલું કામ પણ અટકાઈ જાય છે અને તમે મુસીબતો થી ઘેરાઈ જાઓ છો. હિન્દુ ધર્મમાં વાંસનો ઉપયોગ મૃત્યુ સમયે કરવામાં આવે છે, જે અશુભ માનવામાં આવે છે.

બોરડીનો છોડ

આ છોડ ઘરમાં કંગાળી લાવે છે. જે ઘરમાં બોરડીનો છોડ લગાવેલો હોય છે તે ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મી ટકતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ભુલથી ઘરમાં બોરડીનો છોડ લગાવવો જોઈએ નહીં. તેને ઘરમાં લગાવવાથી ગરીબી આવે છે અને ઘરની શાંતિ ભંગ થાય છે.

પીપળાનું વૃક્ષ

પીપળાનું વૃક્ષ બિલકુલ પણ ઘરમાં લગાવવું જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પીપળાનું વૃક્ષ લગાવવું અશુભ માનવામાં આવે છે. પીપળાનો છોડ ઘરમાં હોવાથી ધનની હાની થાય છે અને મનુષ્યએ એક-એક પૈસા માટે મહેનત કરવી પડે છે.

એટલા માટે જો તમારા ઘરમાં પીપળાનો છોડ લગાવેલો હોય તો તેને કોઈ મંદિરમાં લગાવી દેવો જોઈએ. જાણકારી માટે જણાવી દઈએ કે જે વ્યક્તિ પીપળાની એક ડાળી પણ તોડે છે અથવા કાપે છે તેને પિતૃનો કષ્ટ સહન કરવો પડે છે અને વંશ વૃદ્ધિમાં અડચણ ઊભી થાય છે. વળી સંપુર્ણ વિધિ વિધાન અને નિયમ અનુસાર પુજન અથવા હવન કર્યા બાદ ક્ષમા માંગીને પીપળાની ડાળી કાપવામાં આવે તો દોષ લાગતો નથી. પુરાણો અનુસાર જે વ્યક્તિ પીપળાના વૃક્ષની પરિક્રમા કરે છે તેની બધી મનોકામના પુરી થાય છે. સાથોસાથ શત્રુઓનો પણ નાશ થાય છે. પીપળાના વૃક્ષની પુજા કરવાથી ગ્રહ દોષ બાધા શાંત થાય છે અને કાલ સર્પદોષ તથા પિતૃદોષ શાંત રહે છે.