જીવનને સફળ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલી ઘણી વાતોનું પાલન કરવું જરૂરી છે. ઘરમાં સકરાત્મકતા જાળવી રાખવા માટે અને પરિવારનું વાતાવરણ ખુશનુમા જળવાઈ રહે તેના માટે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે. વાસ્તુશાસ્ત્રમાં મંદિરને લઈને અમુક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો આ વાતો અથવા નિયમો નું ધ્યાન ન રાખવામાં આવે તો વ્યક્તિએ ખુબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. સાથોસાથ વ્યક્તિને પોતાની પુજા નું પુરું ફળ પણ પ્રાપ્ત થતું નથી.
ઘણી વખત લોકો મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તો ઘરેથી ખાલી હાથે ચાલ્યા જાય છે. મંદિરમાંથી જળ લઈને ભગવાનને અર્પિત કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ જણાવવામાં આવેલ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે મંદિર જતા સમયે ઘરેથી જળથી ભરેલો લોટો લઈને જવું જોઈએ. આવું કરવાથી ઘરમાં ગરીબી આવતી નથી. જો તમે શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરમાં શિવલિંગ ઉપર જળ ચઢાવવા માટે જઈ રહ્યા છો તો તમારે ઘરેથી જળથી ભરેલો લોટો લઈને જવું જોઈએ. વળી મંદિર થી પરત આવતા સમયે પણ જળ ભરીને લાવવું જોઈએ. જો તમે ખાલી લોટો લાવો છો તો તેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે અને વ્યક્તિએ પૈસાની તંગીનો સામનો કરવો પડે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પુજાના કપડાને અન્ય કપડા થી અલગ રાખવા જોઈએ. પુજા સમયે પહેરવામાં આવતા કપડાને ફક્ત પુજા માટે જ અલગ રાખવા જોઈએ. તેનાથી ઘણા પ્રકારના લાભ થાય છે. કહેવામાં આવે છે કે આ કપડાને પહેરીને ભોજન કરવું જોઈએ નહીં. એટલું જ નહીં પરંતુ આ કપડાને પહેરીને સુવાની પણ મનાઈ હોય છે. પુજાના અલગ કપડા હોવાથી તેમાં પોઝિટિવ એનર્જી ભરાઈ જાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે સાંજના સમયે દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવો જોઈએ. જેનાથી ઘરની નેગેટિવ ઉર્જા નાશ પામે છે. એટલું જ નહીં તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થાય છે, એટલા માટે સાંજના સમયે ઘરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. તેનાથી થોડા દિવસોમાં જ તમારા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિનો નાશ થઈ જાય છે.