શું ભગવાનની પીઠને પ્રણામ કરવાથી બધા જ પુણ્ય નાશ થઈ જાય છે? બધા લોકો જરૂરથી જાણી લેજો

મંદિરમાં પરિક્રમા કરતા સમયે મુર્તિની પીઠ ને જે પણ લોકો પ્રણામ કરે છે એટલે કે જે મુર્તિ સ્થાપિત છે. તેની પાછળની જે દિવાલ છે લોકો પરિક્રમા કરતા સમયે તે દિવાલના પાછળના હિસ્સા પર ૐ અથવા સ્વસ્તિક બનાવીને તેની પણ પુજા કરવા લાગે છે. શું કોઈ દેવી અથવા દેવતાની પીઠને પ્રણામ કરવા યોગ્ય છે અને શું તેનાથી આપણા પુણ્ય કર્મોનો નાશ થાય છે?

સોશિયલ મીડિયા પર આ પ્રકારની હમણાં ઘણી પોસ્ટ વાઇરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આવું કરવાથી પુણ્ય અને સત્કર્મો નાશ થઈ જાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેનો પ્રસંગ ભાગવત કથામાં પણ છે.

તે મહાભારત કાળની વાત છે, જ્યારે કાલયવન નામનો એક માયવી રાક્ષસ જરાસંધના કહેવા પર ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ નો પડકાર આપવા લાગ્યો હતો. કાલયવન એક સતકર્મી વ્યક્તિ હતો. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણ આ માયાવી નો વધ કરવા માટે પહેલા તેના સમસ્ત સત્કર્મોને નષ્ટ કરવામાં માંગતા હતા. આવું કરવાથી ફક્ત તેના પાપ કર્મ બચી જાય છે. ફક્ત પાપ કર્મ બચી જવાને લીધે વ્યક્તિ ખુબ જ જલ્દી મૃત્યુની નજીક પહોંચી જાય છે.

કહેવામાં આવે છે કે એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ મેદાન છોડીને ભાગવા લાગ્યા અને તેની પાછળ પાછળ કાલયવન પણ ભાગવા લાગ્યો. તેનાથી તે માયાવી રાક્ષસને ભગવાન શ્રીકૃષ્ણની પીઠ દેખાઈ રહી હતી અને તેના સત્કર્મોનો નાશ થઈ રહ્યો હતો અને તે વરદાન પ્રાપ્ત ન જોવા માત્રથી જ બળીને ભસ્મ થઈ ગયો.

એટલા માટે કૃપા કરીને કોઈ મંદિરમાં પરિક્રમા કરતા સમયે દેવી-દેવતાઓની પીઠને પ્રણામ ન કરો અને પીઠ ને જોવી નહીં, પરંતુ તેમની સામે હાથ જોડીને પ્રાર્થના, અર્ચના તથા આરાધના કરો. આ અજ્ઞાનતાને ખતમ કરવા માટે વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચાડવામાં સહયોગી બનો, જેથી બધાના સત્કર્મોને ક્ષણ થવાથી બચાવી શકાય.

જો કે આ વિષય ઉપર હજુ પણ શોધ કરવાની જરૂરિયાત છે. કારણ કે દેવી અથવા દેવતાઓની પરિક્રમાનું પ્રચલન પ્રાચીન કાળથી જ ચાલી રહ્યું છે અને આ પરિક્રમા દરમિયાન તેમની પીઠ દેખાવી સ્વાભાવિક પ્રક્રિયા છે. જોકે દીવાલ વચ્ચે આવી જવાથી કોઈપણ દેવી અથવા દેવતાની પીઠ દેખાતી નથી, પરંતુ પીઠને પ્રણામ કરવા અથવા તેની પુજા કરવી યોગ્ય માનવામાં આવતું નથી.