આ દિવસોમાં એક ફોટો દુનિયાભરના સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરેક વસ્તુ ફરતી જણાઈ રહી છે. આ ફોટા સાથે એક સંદેશ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જણાવાયું છે કે આ ફોટો જાપાનના ન્યુરોલોજીના પ્રોફેસરે બનાવ્યો છે અને આ જોઈને તમે તમારા સ્ટ્રેસ લેવલને પણ જાણી શકશો. જો કે, ફોટોની સત્યતા જુદી છે કારણ કે આ ચિત્ર ફક્ત ઓપ્ટિકલ ભ્રમણા (આંખનું છેતરપિંડી) છે અને તેનો માનવીય તાણ સાથે કોઈ સંબંધ નથી. આ વાતનો ખુલાસો તેને બનાવવા વાળા વ્યક્તિએ કર્યો હતો.
- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર સાથે એક સંદેશ મુકવામાં આવ્યો છે એ મુજબ, જે વ્યક્તિને ફોટો જેટલો વધારે વાર ફરતો દેખાશે, તે વ્યક્તિ તેટલો વધુ તણાવ વાળો હશે.
- સંદેશમાં લખવામાં આવ્યું છે કે, ‘આ ફોટો જાપાનના ન્યુરોલોજી પ્રોફેસર યામામોટો હાશીમાએ બનાવ્યો છે, તેમની સૂચના મુજબ જો ફોટામાં કંઇક આગળ વધી રહયો નથી અથવા તે થોડુંક આગળ વધતું લાગે છે, તો તમે સંપૂર્ણ સ્વસ્થ છો. અને તમે પૂરતી ઊંઘ લો છો.
- સંદેશ મુજબ, ‘જો તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, તો તમે થોડો તાણ કે થાકી ગયા છો. બીજી બાજુ, જો તે સતત આગળ વધતું જોવા મળે છે, તો પછી તમે વધુ પડતા તાણમાં છો અને માનસિક સમસ્યાઓ માંથી પસાર થઈ રહ્યા છો.
- આ ફોટો જોનારા મોટાભાગના લોકો આ તસવીરને ફરતી જોવે છે, ત્યારબાદ તેઓ તેમના માનસિક તાણથી પરેશાન થઈ જાય છે અને આ મેસેજ તેમના મિત્રો અને સંબંધીઓને મોકલે છે.
- ભલે લોકો આ સંદેશ પર વિશ્વાસ કરી પોતાનો સ્ટ્રેશ લેવલ શોધી રહ્યા હોય, પણ સત્ય એ છે કે આ ચિત્રનો તણાવ સાથે કોઈ સંબંધ નથી અને તે માત્ર એક દ્રશ્ય ભ્રમણા છે. તે કોઈ યામામોટો હાશીમા નામના જાપાની પ્રોફેસર દ્વારા બનાવામાં આવ્યું નથી. સૌથી મહત્વની વાત એ છે કે આ નામ નો કોઈ ન્યુરોલોજી પ્રોફેસરન જ નથી.
આ છે ફોટા પાછળનું સત્ય
- બીજા ઘણી વ્યક્તિએ પણ આ ફોટો બનાવવાનો દાવો કરતા ઘણા પુરાવા આપ્યાં છે. પણ આ ચિત્ર બનાવનાર વ્યક્તિનું નામ યુરી પેરેપિડિયા છે, જે યુક્રેન માં રહે છે અને એક ગ્રાફિક ડિઝાઇનર ની સાથે તે એક કલાકાર પણ છે. તેણે પોતાના વિશે અને આ ફોટોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ ફોટો અને પોતાના વિશે બધું કહ્યું છે.
- પેરેપિડિયાના જણાવ્યા મુજબ તેણે 26 સપ્ટેમ્બર, 2016 ના રોજ એડોબ ઇલસ્ટ્રેટરની સહાયથી આ ઓપ્ટિકલ ભ્રમ બનાવ્યો. તેને બનાવવા માટે તેણે અકીયોશી કીટોકા અસરનો ઉપયોગ કર્યો. તેણે રંગીન બેક ગ્રાઉન્ડ પર કાળા અને સફેદ સ્ટ્રોકનો ઉપયોગ કરીને તેને બનાવ્યું છે, જેના કારણે તેને જોતા કોઈપણ વ્યક્તિને તે ફરતા દેખાયછે.
- પેરપિડિયા કહે છે કે આ તસવીરનો માનસિક તાણ અને જાપાની પ્રોફેસર યામામોટો સાથે કોઈ લેવા-દેવા નથી. વળી યામામોટો જેવું કોઈ હકીકતમાં છે જ નહીં. આ સંદર્ભમાં પેરપેડિયાએ લોકોને ગૂગલની મદદ લેવાનું પણ કહ્યું હતું.
- યુરી પેરપિડિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આવા ઘણા ચિત્રો છે, જે જોતા તે ફરે છે એવું લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં તે આંખોની છેતરપિંડી છે.