શુક્રવારનાં દિવસે લવિંગ અને એલચીનો આ ઉપાય કરી લો, ગરીબી તમારા ઘરનો રસ્તો ભુલી જશે અને ઘરમાં ધનનાં ભંડાર ભરાઈ જશે

આજકાલનાં સમયમાં દરેક વ્યક્તિ ઘણા બધા પૈસા કમાવા માંગે છે અને તેના માટે ખુબ જ મહેનત પણ કરે છે. પરંતુ ઘણી એક વખત એવું થાય છે કે જે આપણે ઇચ્છતા હોઈએ છીએ તે આપણને મળતું નથી. ઘણી વખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિને તે સફળતા પ્રાપ્ત થતી નથી, જેનો તે હકદાર હોય છે અને ઘણી વખત એવું થાય છે કે પૈસા ની આવક સારી હોવા છતાં પણ પૈસા ઘરમાં ટકતા નથી. તેની સાથે જ નકામા ખર્ચ પણ વધી જાય છે. જો તમારા જીવનમાં પણ આવી પરેશાની થઇ રહી હોય તો આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી બધી જ પરેશાનીનો ઉકેલ થઈ જશે.

આ ઉપાય લવિંગ અને એલચીને સાથે જોડાયેલ છે, જે ખુબ જ સરળ અને કારગર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિ ઉપર ખુબ જ જલ્દી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવા લાગે છે.

આપણા હિન્દુધર્મમાં લવિંગના પ્રયોગ ખુબ જ ખાસ જણાવવામાં આવેલ છે. લવિંગ એક તરફ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તો વળી બીજી તરફ પુજાવિધિમાં લવિંગનો ઉપયોગ સદીઓથી ચાલતો આવી રહ્યો છે. લવિંગ જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેના માધ્યમથી કરવામાં આવેલ અમુક ઉપાય એવા છે જે આપણે દરેક સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ છે. લવિંગનો ઉપયોગ પુજાપાઠમાં કરવામાં આવે છે, સાથોસાથ તંત્ર-મંત્રની ક્રિયાઓમાં પણ કરવામાં આવે છે.

મોટાભાગે આપણે નવરાત્રિમાં માતા દુર્ગાની પુજા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જો લાંબા સમયથી કોઈ જગ્યાએ તમારા પૈસા અટવાયેલા હોય અને તે પરત ન મળી રહ્યા હોય તો તેના માટે કોઈપણ અમાસ અથવા પુનમનાં દિવસે કપુર અને ૨૧ લવિંગથી માતા લક્ષ્મીનો સુક્ત હવન કરો. હવન કર્યા બાદ માતા લક્ષ્મી પાસે પ્રાર્થના કરો કે તમે બધા પેલા પૈસા પરત મળી જાય.

આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે ઉપાય તમે કોઇપણ દિવસે કરી શકો છો, પરંતુ જો આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરો છો તો તે વધારે કારગર સાબિત થાય છે. કારણ કે તમે લોકો જાણો છો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજી ને સમર્પિત છે. જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો તેનાથી માતા લક્ષ્મી ખુબ જ જલદી પ્રસન્ન થાય છે.

તેના માટે તમારે શુક્રવારનાં દિવસે સાંજના સમયે માતા લક્ષ્મી સામે એક જ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવ્યા બાદ તમારે પોતાના જમણા હાથમાં એક લવિંગ અને એક એલચી રાખવી.

વળી જો આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો લવિંગ અને એલચીને નો ઉપાય ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેની અસર ખુબ જ જલ્દી જોવા મળે છે. જ્યારે તમે પોતાના જમણા હાથમાં એક લવિંગ અને એક એલચી રાખશો તો તમારે “ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ” મંત્રનો જાપ ૧૦૮ વખત કરવાનો રહેશે. સાથોસાથ તે વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે આ મંત્રનો જાપ કરો તો આ સમય દરમિયાન તમને કોઈપણ વ્યક્તિ બોલાવે નહીં અને કોઈ પણ વ્યક્તિ ટોકે નહીં.

જ્યારે તમે આ મંત્રનો જાપ પુરો કરી લો ત્યારે એક પીળા કપડામાં લવિંગ અને એલચીને રાખીને તેને સીલ કરી દેવું. ત્યારબાદ તેને પોતાના પૈસા રાખવાના સ્થાન પર રાખો. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે તેને પોતાના પર્સમાં રાખવાને બદલે તિજોરીમાં રાખવું. કારણ કે પર્સ ચામડામાંથી બનેલ હોય છે, જેના લીધે નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો તમે આ ઉપાય કરો છો તો ખુબ જ જલ્દી તમારા ઘરમાં પૈસાનો આગમન થવા લાગે છે.

પોતાના ઘરમાંથી ખરાબ અને નકારાત્મક શક્તિઓને હંમેશા માટે બહાર કાઢવા માંગો છો તો શનિવારના દિવસે સાંજના સમયે પ લવિંગ, ૩ કપુર અને ૩ એલચી લો. ત્રણેય ચીજોને સળગાવી દો અને જ્યાં સુધી તે યોગ્ય રીતે બળી ન જાય ત્યાં સુધી તેને આખા ઘરમાં ફેરવો. લવિંગનું આ મિશ્રણ સંપુર્ણ રીતે સળગી ગયા બાદ તેની રાખને પોતાના મુખ્ય ઘરના દરવાજા પાસે છાંટી દો. યાદ રાખો કે તેને પાણીમાં મિક્સ કરીને મુખ્ય દરવાજા પર છંટકાવ કરો. લવિંગના આ ઉપાયથી ઘરમાં રહેલી બધી જ ખરાબ શક્તિઓનો નાશ થઈ જાય છે. જેનાથી ઘરમાં બરકત રહે છે અને ધનની આવકમાં વધારો થાય છે.