જગત જનની તથા શક્તિની દેવી માં દુર્ગા નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. સિંહ ઉપર સવારી, હાથમાં ત્રિશુળ, આંખોમાં તેજ, પાપીઓનો સંહાર અને દુઃખી લોકોનાં કષ્ટ દુર કરનારા આદિ શક્તિ માં લક્ષ્મી સંસારની જનની માનવામાં આવે છે. માં નાં ૯ રૂપ છે, જેની પુજા અલગ-અલગ રૂપમાં કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પ્રત્યેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્ત માતા લક્ષ્મીની સાચા મનથી પુજા-અર્ચના તથા ઉપવાસ કરે છે, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમની ઉપર જળવાઈ રહે. હિન્દુ ધર્મમાં કોઇપણ અન્ય દેવતા ની તુલના માં શક્તિના રૂપની પુજા કરવી અતિ લાભદાયક અને ફળદાયક માનવામાં આવે છે.
શુક્રવારનાં દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ-અલગ ઉપાય કરે છે. કોઈ માં લક્ષ્મીના મંદિરમાં જઈને પુજા-અર્ચના કરે છે, તો કોઈ તેમના માટે ઉપવાસ રાખે છે અને આખો દિવસ માતાજીની ભક્તિમાં લીન રહે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર જો કોઈ સાચા મનથી માં લક્ષ્મીની વિધિવત્ પુજા કરે છે તો તેની મનોકામના અવશ્ય પુર્ણ થાય છે. માં લક્ષ્મીને “દુર્ગતિનાશિની” પણ કહેવામાં આવે છે. જે જીવનમાંથી દુર્ગતિ નો નાશ કરે છે અને ભક્તનાં જીવનના બધા દુઃખ માતાજી દુર કરે છે.
માં લક્ષ્મીને પસંદ કરવા માટે ઉપાય
માં લક્ષ્મીની પુજા કરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. જીવન સુખમય બને છે, પારિવારિક કલેશ સમાપ્ત થાય છે, ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે વગેરે લાભ મળે છે. પરંતુ પુજા સિવાય હિન્દુ શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવેલ છે, જેને કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક ઇચ્છા પુરી કરે છે. માં લક્ષ્મી ને પ્રસન્ન કરવાના ઉપાય સરળ હોતા નથી, પરંતુ અમે અહીંયા તમને અમુક પણ શાસ્ત્રીય ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરીને તમે માતાજીની કૃપા મેળવી શકો છો. આ ઉપાય સરળ છે, પરંતુ તેનો પ્રભાવ બિલકુલ પણ ઓછો નથી.
વળી કોઈ પણ દુઃખને દુર કરવા માટે માં લક્ષ્મીનું નામ કાફી છે. શાસ્ત્રો અનુસાર કોઈપણ લોકમાં દરેક પાપી માં લક્ષ્મી નામ થી ડરે છે. જો જીવનમાં કોઈ પરેશાની ચાલી રહી છે તો તમારે માં લક્ષ્મીના કોઈ પણ મંત્રનો જાપ કરવો જોઈએ. તમે માં લક્ષ્મી નાં બીજ મંત્રનો જાપ કરી શકો છો, જે આ પ્રકારથી છે – “ૐ હ્રીં દું દુર્ગાયૈ નમઃ”. આ મંત્રની તમારે એક માળા જાપ કરવાની છે. દરરોજ અથવા તો ઓછામાં ઓછું શુક્રવારનાં દિવસે આ મંત્રનો જાપ કરવાથી લાભ અવશ્ય મળે છે. ધ્યાન રાખો કે માં લક્ષ્મીનાં મંત્રોનો જાપ જો રાત્રે કરવામાં આવે તો તે વધારે ફળદાયક હોય છે.
માં લક્ષ્મીને ફુલ ખુબ જ પસંદ હોય છે. એટલા માટે માં લક્ષ્મીનાં જાપ કરતા સમયે તેમને ફુલ અર્પિત કરવા જોઈએ. આવું કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. સાથોસાથ શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પુજાના સમયે તમારે શ્રીફળ, સોપારી, લવિંગ, એલચી, રોટલી, ચોખા, લાલ રંગનું ગુલાબ, દેશી ઘી, અગરબત્તી વગેરે સામગ્રી ચડાવવી જોઈએ.
શુક્રવારનાં દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચંડીપાઠ અથવા લક્ષ્મી સપ્તશતી પાઠ કરવા ખુબ જ ફળદાયક હોય છે. જો આ બંને પાઠ નિયમાનુસાર વાંચવામાં આવે તો વ્યક્તિ ઉપર માં લક્ષ્મીની અપાર કૃપા થાય છે.
માં લક્ષ્મી સંસારનાં બધા જીવ-જંતુ તથા પ્રાણીને પ્રેમ કરે છે, એટલા માટે પુજાપાઠ સિવાય તમારે ગરીબોને દાન આપવું જોઈએ. સાથોસાથ ભુખ્યા-તરસ્યા જાનવરોની મદદ કરવાથી પણ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે શુક્રવારનાં દિવસે ઉપવાસ પણ કરી શકો છો.