સુર્યાસ્ત બાદ ભુલથી પણ ન કરો આ ૫ કામ, નારાજ થઈ જાય છે માં લક્ષ્મી, સહન કરવી પડે ધનહાનિ

પૈસાની ઈચ્છા બધાને હોય છે. અમુક તેને કમાવવામાં સફળ રહે છે અને અમુક લોકોને ઘણી મુશ્કેલીથી મળે છે. વળી અમુક એવા પણ હોય છે, જેની કમાણી તો સારી થાય છે, પરંતુ તેમના ઘરે પૈસા ટકતા નથી. તેનું એક કારણ જાણતા-અજાણતા ધનની દેવી માતા લક્ષ્મીને નારાજ કરવાનું પણ હોય છે. આપણે અમુક એવી ભુલો કરી દઈએ છીએ, જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે. આવી જ એક ભુલ સુર્યાસ્ત પછી અમુક વિશેષ કામોને કરવાથી થાય છે.

માન્યતા પ્રમાણે તો આપણે સાંજે સુર્ય દેવતાના અસ્ત થયા પછી થોડા વિશેષ કાર્યો કરવાથી બચવું જોઈએ. જો તમે આ કાર્ય કરો છો, તમારા ઘર પર ધન ટકશે નહીં. માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે અને તમે ગરીબીમાં ફસાતા જશો, એટલા માટે સારું એજ રહેશે કે સુર્યાસ્ત થતાં જ આ કામને કરવાનું બંધ કરી દો.

સુર્યાસ્ત થયા પછી તમારે તુલસીના છોડને જળ ન આપવું જોઈએ. એટલું જ નહીં તેને અડકવાથી પણ બચવું જોઈએ. સુર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેનાથી તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે. ઘરમાં બરકત નથી રહેતી, પૈસાનાં સંકટ છવાઈ જાય છે.

સુર્યાસ્ત પછી ભુલથી પણ દહીંનું દાન ન કરો. હકીકતમાં દહીં શુક્ર ગ્રહ સાથે સંબંધિત ખાદ્ય પદાર્થ હોય છે. માન્યતા અનુસાર શુક્ર ગ્રહ ધન વૈભવનું પ્રતીક હોય છે. એટલા માટે જો આપણે સુર્યાસ્તનાં સમયે કે સુર્યાસ્ત પછી દહીંનું દાન કરીએ તો આપણા ઘરે પૈસા અને સુખ બને જ સમાપ્ત થવા લાગે છે. તમારા પરિવારને આર્થિક સંકટનો સામનો કરવા પડે છે.

જ્યારે સુર્ય અસ્ત થઈ રહ્યો હોય ત્યારે સુવું જોઈએ નહીં. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી આવતી નથી. વળી આ સમયે ભોજન કરવાથી પણ બચવું જોઈએ. આવું કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. હકીકતમાં સુર્યાસ્તનો સમય પુજા-પાઠ માટે હોય છે. એટલા માટે આ સમયે ભગવાનની ભક્તિમાં મન લગાવવાથી લાભ થાય છે.

કચરા-પોત કે સાફ-સફાઈ જેવી વસ્તુઓ પણ સુર્યાસ્ત પહેલાં કરી લેવી જોઈએ. શાસ્ત્ર અનુસાર સુર્યાસ્ત પછી સાવરણી લગાવવાથી પૈસાનું નુકસાન થાય છે. માન્યતા છે કે તેનાથી ઘરની લક્ષ્મી ચાલી જાય છે. આવું થવાથી તમારા ઘરે ધનની ઉણપ થવા લાગે છે. પૈસાની આવક અટકી જાય છે. જો પૈસા આવે પણ છે તો જલ્દી જલ્દી ખર્ચ થવા લાગે છે. વળી ધન કમાવવાના અવસરોમાં પણ ઉણપ આવે છે.

વાળ કાપવા કે નખ કાપવા વગેરે વસ્તુ સુર્યાસ્ત પછી કરવી જોઈએ નહીં. ઘણા લોકો આ વાતનું ધ્યાન રાખી લે છે કે તેમણે ગુરુવારે વાળ અને નખ કાપવાના નથી. પરંતુ તે સમયને લઈને ભુલ કરી દે છે. તમારે સાંજે સુર્યાસ્ત પછી વાળ અને નખ કાપવાથી દરેક સ્થિતિમાં બચવું જોઈએ. જો તમે એવું નથી કરતા તો આ વસ્તુ તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે.

જો તમે ગરીબી નું મોઢું જોવા નથી ઈચ્છતા તો ઉપર બતાવવામાં આવેલી ૫ વાતો સુર્યાસ્ત પછી કરવાથી બચો.