સુશાંતનાં નિધનના એક મહિના બાદ બહાર આવી અંકિતા લોખંડેની લાગણી, દિવો કરીને કહ્યું – ભગવાન….

Posted by

૧૪ જુન, ૨૦૨૦નાં બોલીવુડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત નિવાસ સ્થળ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમની આત્મહત્યાના સમાચારે સમગ્ર બોલિવૂડને હલાવી નાખ્યુ હતું. કોઈને સમજમાં આવી રહ્યું ન હતું કે તેમણે આખરે આવું શા માટે કર્યું. ૧૪ જુલાઈના રોજ સુશાંતનાં નિધનને એક મહિનો પૂરો થઈ ગયો. આ અવસર પર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક ફોટો શેયર કર્યો છે. જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ બાદ થી અંકિતાએ સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ મૂકી ન હતી. તેવામાં સુશાંતનાં ગયા બાદ તેમની આ પહેલી પોસ્ટ છે. આ પોસ્ટમાં પણ અંકિતાએ સુશાંતનું નામ કોઈપણ જગ્યાએ લખ્યું નથી. તેમ છતાં પણ ઘણું બધું ખૂબ જ ઓછા શબ્દોમાં કહી દીધું.

સુશાંત માટે અંકિતાએ દીવો કર્યો

 

View this post on Instagram

 

CHILD Of GOD 😇

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on


હકીકતમાં સુશાંતનાં નિધનને એક મહિનો પૂરો થવા પર અંકિતાએ તેમની યાદમાં દીવો કર્યો હતો. તેની એક તસવીર પણ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. આ ફોટોમાં ભગવાનના મંદિરે સામે સફેદ ફૂલ ઉપર એક દીવો જગમગતો દેખાઈ રહ્યો છે. આ ફોટોને શેયર કરતા અંકિતાએ કેપ્શનમાં લખ્યું છે કે, – Child of God (ભગવાન નું બાળક).

લોકોના આવ્યા રિએક્શન

સુશાંત લઈને અંકિતાની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. લોકો કોમેન્ટ કરીને સુશાંતની આત્મા માટે શાંતિની પ્રાર્થના કરી રહ્યા છે. તેની સાથે જ તેઓ અંકિતાના સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી રહ્યા છે. એક યુઝર તો એવું પણ લખ્યું કે આશા છે કે તમે સ્વસ્થ હશો. પછી એક કોમેન્ટ આવી કે, “ભગવાન તમને તાકાત, પ્રેમ અને ખુશીઓ આપે.”

જણાવી દઈએ કે સુશાંતનાં નિધનથી અત્યાર સુધીમાં અંકિતાએ સુશાંતને લઈને એક પણ પોસ્ટ કરી ન હતી. કદાચ અંકિતા સુશાંત અને પોતાના સંબંધોને અંગત રાખી તેનું સન્માન કરવા માંગતી હતી. આ પોસ્ટમાં પણ તેમણે સુશાંતના ફોટોને શેયર કર્યા વગર અને તેમનું નામ લખ્યા વગર ઘણું બધું કહી દીધું. ફેન્સને અંકિતાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ખૂબ જ ઊંડો છે બંનેનો સંબંધ

મહત્વપૂર્ણ છે કે અંકિતા અને સુશાંતની લવ સ્ટોરી “પવિત્ર રિશ્તા” સીરીયલ થી શરૂ થઈ હતી. આ શોમાં બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. તેમનો સંબંધ અંદાજે ૬ વર્ષ સુધી ચાલ્યો, પરંતુ પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. તેઓ એક સાથે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહી ચુકેલ છે. બ્રેકઅપના કારણને લઈને ઘણા પ્રકારની વાતો કરવામાં આવતી હતી. જેમકે અંકિતા સુશાંત લઈને ખૂબ જ પજેસિવ થઈ ગઈ હતી, તે લગ્ન કરીને સેટલ થવા પણ માંગી હતી. વળી સુશાંત પહેલાં બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હતા, એટલા માટે લગ્ન કરવાનો તેમનો કોઇ ઇરાદો હતો નહીં. એક ખબર એવી પણ આવી હતી કે બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન સાથે સુશાંતના સંબંધો પણ બ્રેકઅપનું કારણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *