“તાજમહેલ નહીં, રામસેતુ છે પ્રેમની નિશાની” તમે પણ પોતાનું મંતવ્ય જણાવો

બોલિવૂડના જાણીતા કલાકાર અને મશહૂર એક્ટર પરેશ રાવલનું એક ટ્વિટ હાલના દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે પરેશ રાવલનું આ ટ્વીટ રામાયણને લઈને છે. થોડા સમય પહેલા નાના પડદા પર ધાર્મિક શો માટે દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. ૩૩ વર્ષ બાદ રામાયણને દૂરદર્શન પર ફરી એક વખત પ્રસારિત કરવામાં આવ્યું હતું. તેવામાં સોશિયલ મીડિયાના આ યુગમાં પણ ટીવી પર દર્શકોએ આ ધારાવાહિકને ખૂબ જ નિહાળી હતી અને તેના દરેક મોમેન્ટને સોશિયલ મીડિયા પર શેયર પણ કરેલ હતા. રામાયણ પર દરરોજ લાખો પ્રતિક્રિયાઓ આવી રહી હતી. જણાવી દઈએ કે તે સમયે ભારતમાં ટીઆરપીનાં મામલામાં રામાયણે બાકીના બધા ટીવી શોને પાછળ છોડી દીધા હતા. તો ચાલો જાણીએ કે આખરે પરેશ રાવલે રામાયણ સંબંધિત શું ટ્વીટ કર્યું છે.

જણાવી દઈએ કે રામાયણમાં રામસેતુ પ્રસંગ આવતાં જ લોકોએ રામસેતુને ટ્રેન્ડ કરાવી દીધું અને તેના પર ખૂબ જ ટ્વિટ થવા લાગ્યા. ઘણા લોકોએ રામસેતુનો ફોટો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ ટ્રેન્ડ પર એક લેખક “રિદ્ધિમા પાંડેય” દ્વારા ટ્વીટ કરીને સવાલ પૂછવામાં આવ્યો કે, તમે પ્રેમની નિશાની કોને માનો છો?” ૧. રામસેતુ ૨. તાજમહેલ. તેને રીટ્વિટ કરતા એક્ટર પરેશ રાવલ જવાબ આપ્યો, હું પ્રેમની નિશાની રામસેતુને માનું છું, તાજમહેલ નહીં.

જણાવી દઈએ કે પરેશ રાવલ અવારનવાર પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. અનેક મુદ્દા પર પોતાનું મંતવ્ય રાખવા વાળા પરેશ રાવલ હંમેશા દ્વારા લોકોના દિલ જીતતા રહેતા હોય છે. હાલમાં જ તેમના દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં રહેતી પ્રેમની નિશાની છે, તેના પર તેમના ફેન્સ ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. તેમના ઘણા ફેન્સ પણ આ વાતનું સમર્થન કરી રહ્યા છે કે, પ્રેમની નિશાની રામસેતુ છે. પોતાના આ ટ્વીટને લઈને પરેશ રાવલ ફરીથી ચર્ચામાં આવી ગયા છે.

પરેશ રાવલ બોલિવૂડના એકઅભિનેતા હોવાની સાથે-સાથે એક રાજકીય નેતા પણ છે. તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ છે. પરેશ રાવલ બોલિવૂડના તે એક્ટર્સ માંથી છે જેમણે બહુરંગી એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હોય. પોતાની બોલિવૂડ કારકિર્દીમાં તેમણે અનેક શાનદાર ફિલ્મો કરી છે અને દર્શકોના દિલ જીતી લીધા છે. પરેશ રાવલ હેરાફેરીમાં બાબુરાવ બન્યા હતા, તો ઓહ માય ગોડ માં કાનજીભાઈ બન્યા હતા. પરેશ રાવલ આવી જ રીતે પોતાના પાત્રમાં પોતાની એક્ટિંગના દમ પર જીવ રેડી દેતા હોય છે.

પરેશ રાવલ પોતાની કારકિર્દીમાં ઘણા અલગ અલગ પાત્ર નિભાવ્યા છે અને પોતાની જબરજસ્ત એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. હવે તેમના દીકરા આદિત્ય રાવલ પણ ફિલ્મમાં ડેબ્યૂ કરવા માટે જઈ રહ્યા છે. તે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા એક્ટિંગની દુનિયામાં પગલાં રાખવાના છે. તેમની આવનારી ફિલ્મનું નામ બમફાડ છે. આ ફિલ્મને અનુરાગ કશ્યપનાં આસિસ્ટન્ટ રહી ચુકેલ રંજન ચંદેલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ડાયરેક્ટર તરીકે તેમની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં આદિત્ય રાવલને સાથે શાલિની પાંડેય નજર આવશે. જણાવી દઈએ કે શાલિની પાંડેય અર્જુન રેડ્ડી નામની સફળ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું હતું. જાણકારી માટે જણાવી દઈએ કે આ ફિલ્મની હિન્દી રીમેકનું નામ કબીર સિંહ હતું.