ઉનાળામાં વીજળીનાં બિલની ચિંતા કર્યા વગર ચલાવો એસી, આ વાતોનું ધ્યાન રાખશો તો વીજળીનું બિલ આવશે ઓછું
જેમ જેમ ગરમી અને તાપમાન વધી રહ્યું છે એરકન્ડીશન ની જરૂરિયાત પણ વધી રહી છે. પરંતુ એસીના વધારે પડતા ઉપયોગથી લોકોના મનમાં વીજળીના બિલની ચિંતા પણ વધી જતી હોય છે. પરંતુ શું ઉનાળામાં એસી થી રાહત મેળવવા અને વધારે વીજળીનું બિલ ન આવે તેના માટે ઉપાય ખરો? જી હાં, અમે તમને એને યોગ્ય રીતે ઉપયોગ કરવાની અમુક રીત જણાવીશું, જે તમારા ખુબ જ કામમાં આવશે.
પોતાના એસી ને યોગ્ય તાપમાન ઉપર સેટ કરો
શોધ પરથી જાણવા મળ્યું છે કે તાપમાનમાં દરેક ડિગ્રી નાં વધારાથી અંદાજે ૬ ટકા વિજળીની બચત થાય છે. તમે પોતાના એસી નું તાપમાન જેટલું ઓછું રાખજો, તેનું કમ્પ્રેસર એટલો લાંબો સમય સુધી કામ કરશે. જેનાથી તમારું વીજળીનું બિલ વધી જશે. એટલા માટે જો તમે એસી ને તેના ડિફૌલ્ટ તાપમાન ઉપર ચાલુ રાખવાનું પસંદ કરો છો, તો તમે ૨૪ ટકા સુધી વીજળી બચાવી શકો છો. તમે ઈચ્છો તો તેમ છતાં પણ તાપમાનને ગમે એટલું ઓછું રાખી શકો છો.
એસીને ૧૮ ડિગ્રી ને બદલે ૨૪ ડિગ્રી સેલ્સિયસ પર રાખો
જો તમે દિલ્હી મુંબઈ, બેંગલોર, ચેન્નઈ, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં રહો છો જ્યાં તાપમાન ૩૪ થી ૩૭ વર્ષ સુધી દરરોજ રહે છે તો તમારે પોતાના એસીને ૧૦ ડિગ્રી ઓછું સેટ કરવાથી પહેલાં કરતાં એક મોટી રાહત મળશે. સાથોસાથ આપણા શરીરનું તાપમાન સરેરાશ ૩૬ થી ૩૮ ડિગ્રીની વચ્ચે રહે છે. એટલા માટે તેનાથી નીચેનો કોઈપણ રૂમ આપણા માટે સામાન્ય રોગથી ઠંડો હોય છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ડિગ્રી ઓછું થવા પર ૬ ટકા વધારે વીજળી ની ખપત થાય છે, તેવામાં તમારે પોતાની આદતને ૧૮ ડિગ્રીથી ૨૩-૨૪ ડિગ્રી પર લાવવાની રહેશે.
પોતાનો રૂમ યોગ્ય રીતે બંધ કરો
જ્યારે આપણે એરકન્ડિશનર ની વાત કરીએ છીએ તો દરવાજો બંધ ન કરવો તે બિલકુલ મુર્ખાઈ ભરેલું કામ લાગે છે. પરંતુ તે સુનિશ્ચિત કરવું મહત્વપુર્ણ છે કે તમારા રૂમની બધી જ બારીઓ બંધ હોય અને ઠંડી હવા રૂમમાંથી બહાર ન નીકળે. પડદા ખેંચી લો, જેથી સુરજની ગરમી તમારા રૂમમાં ન આવે. સુરજનાં કિરણોને લીધે એસી ઉપર ભાર વધે છે. એસી નો ઉપયોગ કરતા સમયે ટી.વી, ફ્રિજ, કોમ્પ્યુટર જેવા વીજળી ઉપકરણોનો ઉપયોગ કરવાથી બચવું. કારણ કે આ ઉપકરણ ખુબ જ વધારે ગરમી ઉત્પન્ન કરે છે. એસી ચાલુ કરતા પહેલા તેને બંધ કરી દો. રૂમ ઠંડો થઇ ગયા બાદ તેને ફરીથી ચાલુ કરી શકો છો.
વીજળી બચાવવા માટે સ્વીચ ઓન અને ઓફ કરો
શું તમારી ક્યારેય ધ્રુજતા ઊઠીને એસી બંધ કરવું પડે છે? આવું કદાચ એટલા માટે થાય છે કારણ કે રૂમ ને ઠંડુ રાખવા માટે તમારું એસી આખી રાત ચાલુ હતું. ઊર્જા બચાવવા અને આરામથી રહેવાની એક રીત એવી છે કે તેને રાતના સમયે બંધ કરી દેવામાં આવે. ખાસ કરીને જો તમે આખો દિવસ બેસી ચલાવી રહ્યા છો તો તમારે રાતના સમયે તેની એટલી જરૂરિયાત રહેશે નહીં. જો તમે એસી વાળા રૂમ માં વધારે સમય પસાર કરી રહ્યા છો તો તમારે આ ટ્રિકનો ઉપયોગ કરવો જોઈએ. અમુક કલાક માટે એસી ચાલુ રાખો અને ત્યારબાદ એટલે કે એક અથવા તો બે કલાક બાદ બંધ કરી દો. તેનાથી ઘણી બધી વીજળીની બચત થશે અને સાથોસાથ રૂમ પર ઠંડો રહેશે.
એસી ની સાથે પંખા નો ઉપયોગ કરો
જ્યારે એસી ચાલી રહ્યું હોય તો સીલીંગ ફેન ચાલુ રાખવો જોઈએ. તે સિવાય પંખા રૂમને હવાદાર રાખે છે અને બધા ખુણા માં ઠંડી હવા પ્રસારિત કરે છે. જેનાથી તમારા એસી નું તાપમાન ઓછું રહેશે નહીં. ઓછી શક્તિનો ઉપયોગ કરીને તમે વધારે ઠંડક મેળવી શકશો. એસી ચાલુ કરતા પહેલા પોતાના રૂમમાં પંખા ચાલુ કરી લો. જેથી રૂમમાં ગરમ હવા નીકળી શકે. ત્યારબાદ તમે સરળતાથી એસી ચાલુ કરી શકો છો.
એસી સર્વિસ અને સફાઈ થશે વીજળીની બચત
એસીનાં ડક્ટ અને વેંટ માં ગંદકી જમા થવાને લીધે એ.સી. ને ઠંડી હવા ને રૂમ માં લાવવા માટે વધારે મહેનત કરવી પડે છે. ગંદા ફિલ્ટર ને દુર કરીને નવું ફિલ્ટર લગાવવાથી એસીની ઉર્જા ખપત ૫થી ૧૫ ટકા ઓછી થઈ જાય છે. તે સિવાય એસી ને ખરાબ થવા અને રીપેર કરવાથી પણ બચાવી શકાય છે.