નાસ્ત્રેદમસે વર્ષ ૨૦૨૨ ને લઈને કરેલ છે ભયાનક ભવિષ્યવાણી, વાંચીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે

આજકાલ જીવન ખુબ એડવાન્સ થઈ ચુક્યું છે બધા લોકો ભવિષ્યમાં બનવાની ઘટનાઓ વિશે પહેલાં જ જાણવા માગે છે. તેના ઉપર આધારિત અમે બધા લોકોએ ઘણી ફિલ્મોમાં પણ જોઈ હશે. ઘણા લોકો પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે જ્યોતિષશાસ્ત્રની મદદ લેતા હોય છે, કુંડળી બનાવે છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ સમગ્ર દુનિયા માટે મહત્વપુર્ણ ભવિષ્યમાં વિશે અને આ કુંડળી નાં જન્મદાતા છે માઇકલ દી નાસ્ત્રેદમસ.

ફ્રાંસીસી ભવિષ્ય વક્તા માઇકલ દી નાસ્ત્રેદમસે બાળપણમાં એક પુસ્તકના માધ્યમથી ધરતી વિશે અમુક ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી દર વર્ષે સતત સાચી સાબિત થઈ રહી છે. આજથી અંદાજે ૫૫૦ વર્ષ પહેલાં નાસ્ત્રેદમસ દ્વારા જે ભવિષ્યને લઈને પુસ્તક લખવામાં આવ્યું હતું, તેમાં કુલ ૬,૩૩૮ ભવિષ્યવાણીઓ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી મોટાભાગની ભવિષ્યવાણી બિલકુલ સાચી સાબિત થયેલી છે. નાસ્ત્રેદમસનાં આ પુસ્તકમાં ૨૦૨૧માં ભયંકર મહામારી અને દુષ્કાળ જેવી તબાહી થવા વિશે ભવિષ્યવાણી છે. ૨૦૨૧માં સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેવાવાળા કોરોના વાયરસને આ ભવિષ્યવાણી સાથે જોડીને જોવામાં આવે છે.

ફ્રાન્સના મશહુર જ્યોતિષશાસ્ત્ર નાસ્ત્રેદમસ દ્વારા આજથી અંદાજે ૫૦૦ વર્ષ પહેલા લેસ પ્રોફેટીસ નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું. નાસ્ત્રેદમસ દ્વારા લખવામાં આવેલ આ પુસ્તકમાં પૃથ્વીના ભવિષ્યને લઈને અમુક ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. પાછલા ૫૫૦ વર્ષમાં આ પુસ્તકમાં લખવામાં આવેલી ૭૦% ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. ૨૦૨૧ માટે તેમણે મહામારી અને તબાહી જેવી ભવિષ્યવાણી કરી હતી, જે કોરોના વાયરસ નાં રૂપમાં દુનિયાની સામે આવી.

નાસ્ત્રેદમસ નાં આ પુસ્તકનું માનવામાં આવે તો દુનિયાની પરેશાનીઓ હજુ ઓછી થઇ નથી. આવતા વર્ષે વર્ષ ૨૦૨૨ માટે નાસ્ત્રેદમસ દ્વારા અમુક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરવામાં આવી છે, તેમાંથી અમુક ભવિષ્યવાણી અમે તમને અહીં જણાવીશું.

૨૦૨૨માં પૃથ્વી ખતમ થઇ જશે

નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ૨૦૨૨માં એક એસ્ટરોઇડ દુનિયાને મોટું નુકસાન પહોંચાડશે. એસ્ટરોઇડ  માંથી નીકળેલ મોટો પહાડ સમુદ્રમાં પડશે, તેના કારણે ભયંકર ઉઠશે અને દુનિયા મોટા ભાગને પોતાની ઝપેટમાં લઇ લેશે. સમુદ્રનું પાણીનું સ્તર વધવાથી ખુબ જ નુકસાન પહોંચાડવાની સંભાવના પણ આ પુસ્તકમાં દર્શાવેલ છે.

નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી અનુસાર આવતા વર્ષે ૨૦૨૨માં એક વિધ્વંશક એટમ બોમ્બ ફાટશે. જેના કારણે વાતાવરણમાં એકાએક પરિવર્તન આવશે. આ ક્લાઈમેન્ટ ચેન્જની અસર દુનિયાને ઘણી જગ્યાઓ ઉપર પડી શકે છે. વધુ એક ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૨માં ભયંકર તબાહી આવવાની છે. આ ભયંકર તબાહી બાદ પૃથ્વી ઉપર શાંતિ છવાઇ જશે. આ શાંતિ પહેલાનાં ૭૨ કલાક ખુબ જ ભયાનક રહેવાના છે, તેનાથી સમગ્ર દુનિયા અંધેરી નગરી બની જશે.